હિંદૂ ધર્મના મોટા પર્વમાંથી એક મહાશિવરાત્રિનુ પર્વ પણ છે, જે ફાગણના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીનું પ્રાક્ટય થયુ હતુ. આ સિવાય શિવજીના વિવાહ પણ આ દિવસે થયા હતા. આ દિવસે મહાદેવની ઉપાસના કરવાથી વ્યકિતના જીવનમાં સંમૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્રજાપ અને રાત્રે જાગરણનુ વિશેષ મહત્વ રહેલુ છે.
આજે એટલે કે સોમવારના દિવસે મહાશિવરાત્રિનો પર્વ આવ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પાવન પર્વ શ્રવણ નક્ષત્રમાં છે, શ્રવણના સ્વામી ચંદ્ર હોય છે. શ્રવણ નક્ષત્ર અને સોમવાર એક સાથે આવતા મહાશિવરાત્રિનો શુભ સંયોગ છે. આ સાથે જ આજે સર્વાર્થસિદ્ઘિ યોગ પણ છે.
શિવરાત્રિ અને મહાશિવરાત્રિ વચ્ચેનો ફરક:
સામાન્ય રીતે કૃષ્ણ પક્ષની ચુતર્દશીના દિવસે આવનારી શિવરાત્રિને માત્ર શિવરાત્રિ કહેવામાં આવે છે, પરંતુ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રિ કહેવાય છે. વર્ષમાં આવનારી 12 શિવરાત્રિમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શિવજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાયો:
- મહાશિવરાત્રિના દિવસે ભસ્મ ચઢાવવાથી તમામ મનોકામનાપૂર્ણ થાય છે. શંકર ભગવાનના શિવલિંગ પર કાળા તલ ચઢાવી શકાય છે. ભસ્મ તેમજ કાળા તલ ચઢાવવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ ઉપાયથી શનિ દોષ દૂર થાય છે.
- ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવાથી સંપન્નતા આવે છે અને મનમાં કરેલી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
- જે લોકો કોઇ રોગથી પીડાય છે અથવા તો સતત અસ્વસ્થ રહે છે તો તેને કુશ ઘાસથી રુદ્રાભિષેક કરવો જોઇએ. કુશ ઘાસને પીસીને ગંગા જળમાં ભેળવીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરી શકો છો.
- ધન પ્રાપ્તિ માટે દેસી ઘીનો રુદ્રાભિષેક કરો.
- નિર્વિધ્ન રૂપથી કોઇ વિશેષ ઉદ્દેશ્ય પૂરો થાય તે માટે તીર્થ સ્થાન પરની નદીઓના જળથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો.
- શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાથી કાર્યમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે તથા વૈભવ અને સમ્પન્નતામાં વૃદ્ઘિ થાય છે.
- આ દિવસે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરવાથી રોગોથી મુક્તિ મળે છે તથા વ્યકિતની ઉંમરમાં વધારો થાય છે.
- વિવાહ જલ્દી થાય તે માટે પીળા વસ્ત્ર ધારણ કરી શિવજીની પૂજા કરો. શિવલિંગ પર 108 બિલિપત્ર અર્પિત કરો. દરેક બિલિપત્રની સાથે "नमः शिवाय" કહો.
- આ સિવાય શિવલિંગ પર દૂર્વા ચઢાવો, જેનાથી શિવજી અને ગણેશજીની કૃપાથી સુખ-સમુદ્ઘિ વધે છે.
- જળમા કેસર ભેળવી અને શિવલિંગ પર ચઢાવો. આ ઉપયા કરવાથી વિવાહ અને વૈવાહિક જીવનથી જોડાયેલી સમસ્યા ખત્મ થઇ જાય છે.