1 લાખ રૂપિયા આપીને પોતાની નવી શરૂઆત કરવાની ઈચ્છા ધરાવનાર યુવકને નોકરીની જગ્યાએ મળી મોત
ભરૂચના અંકલેશ્વરમાં યુવકની હત્યા
સરફુદ્દીન ગામ નજીક નર્મદા નદી કિનારે યુવકની હત્યા
રૂ.1 લાખની લેતીદેતીમાં યુવકની હત્યા
ભરૂચના અંકલેશ્વરના સરફુદ્દીન ગામે પૈસાની લેતીદેતીમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. યુવાને આરોપીને રેલવેમાં નોકરી માટે રૂ.1 લાખ આપ્યા હતા પરંતુ નોકરી નહીં મળતા તે યુવક દ્વારા પૈસા પરત માંગતા આરોપીએ તેને નર્મદા નદી કિનારે બોલાવી ચપ્પાના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.
નાણાંના બદલે આપી મોતની સજા
અંકલેશ્વરના યુવકે નોકરી માટે 1 લાખ રૂપિયા આપીને પોતાની નવી શરૂઆત કરવા માગતો હતો. પરંતુ નોકરીની જગ્યાએ યુવકને મોતની સજા મળી છે. અનુપમ દાસ દ્વારા હર્ષ પટેલને રેલવેમાં નોકરી માટે નાણાં તો અપાયા હતા. પરંતુ અનુપમ અવારનવાર નાણાં માટે હર્ષને પૂછપરછ કરી હતી. અંતે જ્યારે અનુપમને લાગ્યું કે, તેના આપેલા નાણાં બાદ પણ નોકરી મળી રહી નથી.
જ્યારે અનુપમે હર્ષને નાણા પરત કરી દેવા કહ્યું હતું. હર્ષ અનુપમને નાણાં આપવાને બદલે વાયદાઓ કરી રહ્યો હતો. જે બાદ અનુપમને નદી કાંઠે બોલાવી મોતની સજા આપી હતી. આ દરમિયાન એક્ટિવા લઈને પીછો કરતા મૃતકના ભાઈને પણ ઘાયલ કરાયો હતો. ત્યારે હત્યારો હર્ષ પટેલ હાલ ફરાર છે.