અમદાવાદના દધીચી બ્રિજ પરથી યુવકે સાબરમતીમાં મોતનો કૂદકો લગાવ્યો પણ સુરક્ષા માટે ગોઠવેલી જાળી પર યુવક લટકી ગયો હતો
અમદાવાદના દધીચી બ્રિજ પરથી યુવકની છલાંગ
ફાયર બ્રિગેડની ટીમે યુવકનો મૃતદેહ કાઢયો
ઘટનાનો વીડિયો આવ્યો સામે
અમદાવાદની સાબરમતી નદી જિંદગીથી કંટાળી ચૂકેલા માટે મોતનો રસ્તો બની ગઈ છે અવાર નવાર સાબરમતીમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ પોત પ્રકાશી રહી છે. ત્યારે વધુ કે યુવકે સાબરમતી નદી પર આવેલા દધીચી પુલ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકુ કર્યું છે. આત્મહત્યાનું મન બનાવી યુવકે પુલ પરથી કૂદકો તો લગાવ્યો હતો પણ તંત્રએ સુરક્ષા માટે ગોઠવેલી જાળીઑમાં તે ફસાઈ લટકી ગયો હતો અંતે હાથ લપસતા યુવક મોતને ભેટ્યો હતો.
લોખંડની જાળી પર લટક્યો યુવક
સાબરમતીમાં આપઘાતની ઘટનાઑ સામાન્ય બનતી જાય છે. નદીની આસપાસ અને પુલ પર સુરક્ષા રેલિંગ બનાવી હોવા છતાં અને એક ટીમ આત્મહત્યા કરતાં લોકોને રોકવા રાખી હોવા છતાં આપઘાતનું મન બનાવી આવી રહેલા લો ગેમ તેમ કરી સાબરમતીમાં પડતું મૂકી દે છે. આવી જ વધૂ એક ઘટના સામે આવી છે. જિંદગીને ખતમ કરવા અમદાવાદના દધીચી બ્રિજથી એક યુવકે મોતની છલાંગ લાગી હતી. પણ ભગવાન યુવકના આ રસ્તાથી નારાજ હતો એક મોકો આપ્યો. યુવકે કૂદકો લગાવતાની સાથે જ તે લોખંડની જાળી પર લટકી ગયો. જે વીડિયોમાં નજરે જોઈ શકાય છે. પુલ પરથી પસાર થતાં લોકો યુવકને બચાવવા આમ તેમ હવાતિયા મારી રહ્યા હતા અને રાડ બૂમ કરી રહ્યા હતા પણ છેલ્લી ઘડીએ યુવકનો હાથ રેલિંગ પરથી લપસતા યુવક સીધો નદીમાં પટકાયો હતો જે બાદ યુવકનું કરૂણ મોત થયું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
લોકોના કલાહોલ વચ્ચે એક જિંદગી તેના મનસૂબામાં કામયાબ રહી. આસપાસના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો અને સાબરમતીની સુરક્ષા ટીમને પણ જાણ કરી પણ 12 કિલોમીટરની રેન્જમાં કોણ કયા કૂદકો મારશે તેનો તાગ મેળવવો અઘરો છે સુરક્ષા ટીમ આવે તે પહેલા જ યુવક સાબરમતીના પાણીમાં તરફડી મોતને ભેટ્યો હતો. સમગ્ર ઘટના બાદ ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ હાથ ધરી હતી જે બાદ મહામહેનતે ફાયર ટીમી યુવકનો મૃતદેહ બહાર કાઢયો હતો. બનાવની જાણ પોલીસને થતાં કાફલા સાથે દોડી આવી હતી યુવકની ઓળખ અને પરિવાર જનોને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરી હતી સાથે જ યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા પણ અલગ અલગ પાસા પર પોલીસ તપાસ શરૂ કરી છે. પણ એક વાત ટાંકવી જરૂરી છે કે જિંદગી અમૂલ્ય છે. હવે ફરી મળવાની છે તેની કોઈને ખબર નથી. સુખ દુખ દરેકના જીવનમાં આવતા રહે છે પણ આત્મહત્યા કોઈ દિવસ આખરી વિકલ્પ ન હોવો જોઈએ. આપઘાત કરતાં લોકો જેટલુ મન આત્મહત્યા કરવા માટે બનાવે છે તેટલું મન જો મુશ્કેલીનો સામનો કરવામાં લગાવે તો મોજથી જીવી જવાશે..