રાજકોટ કોર્પોરેશનની કચેરીમાં આજે એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં એક કરદાતાએ વેરો ભરવા પરચૂરન ચૂકવ્યા હતા.
રાજકોટમાં નાટકિયો વિરોધ
વેરો ભરવા ચૂકવ્યા પરચૂરન
50 પૈસા ન લેતા નોંધાવ્યો રોષ
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં એક કરદાતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરદાતા વેરો ભરવા માટે પરચૂરન લઈને રાજકોટ મનપા કચેરીએ પહોંચ્યો હતો. આ દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારીને પરચૂરન સ્વીકારવા માટે અપીલ કરી હતી. જો કે મહાનગરપાલિકાએ 50 પૈસા સિવાયનું પરચૂરન સ્વીકારી લીધું હતું.
પરચૂરણના સ્વીકાર હઠ !
મનપાના કચેરીમાં વેરા વસૂલાત કરતા કર્મચારીના ટેબલ પર આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. અજો કે હાલ 50 પૈસા ચલનમાં ન હોવાથી કર્મચારીએ તે સિક્કો સ્વીકારવાની ના પાડી હતી. છતાં પરચૂરન લઈને પહોંચેલો અરજદાર નારાજ થયો હતો અને તેણે મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ આકરો રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા કચેરીમાં મંદિરનાં પૂજારી 700-800 રૂપિયાનાં પરચુરણ સાથે રૂ. 1800નો વેરો ભરવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી હતી. જે દરમિયાન પૂજારીનું આ પરચુરણ સ્વીકારવાનો મનપાના સિટી સિવિક સેન્ટરનાં કર્મચારી દ્વારા ઈન્કાર કરાયો હતો. બાદમાં ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા પૂજારીનું ચિલ્લર સ્વીકારી ટેક્સ ભરાયો હતો.