અદાર પૂનાવાલા અને તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે.
પૂનાવાલા અને તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માંગ
હાલમાં તેમને વાય શ્રેણીની સુરક્ષા મળેલી છે
બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી
પૂનાવાલા અને તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માંગ
દેશમાં કોરોના વાયરસની રસી બનાવી રહેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા અને તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે. આ માટે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. હાલમાં તેમને વાય શ્રેણીની સુરક્ષા મળેલી છે અને તે બ્રિટનમાં છે.
A writ petition is filed in Bombay HC seeking Z plus security for Adar Poonawallah and his family. pic.twitter.com/cWsX1V6c0C
સરકારે સીઆરપીએફની વાય સ્તરની સુરક્ષા પુરી પાડી હતી
સીરમ સંસ્થાનના સીઈઓ અદાર પૂનાવાલાને ભારત સરકારે સીઆરપીએફની વાય સ્તરની સુરક્ષા પુરી પાડી હતી. ગૃહ મંત્રાલયે આ માટે આદેશ જારી કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક આદેશમાં કહ્યુ હતુ કે સીઆરપીએફના સુરક્ષા કર્મી પૂરા દેશમાં તેમને સુરક્ષા આપશે.
પૂના સ્થિત એસઆઈઆઈમાં સરકાર તથા નિયમન કાર્યના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે 16 એપ્રિલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી પૂનાવાલાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો. જે બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો. ભારતમાં લગાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી કોવિશીલ્ડ રસીના વિનિર્માણ એસઆઈઆઈ કરી રહ્યા છે. પોતાના પત્રમાં સિંહે કહ્યું કે રસીની માંગને લઈને વિભિન્ન ગ્રુપોથી પૂનાવાલાને ધમકી મળી રહી છે.
મળી રહી છે ધમકી
કોરોનાની રસી કોવિશીલ્ડની નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પોતે જણાવ્યુ હતુ કે તેમને રસીને લઈને દેશના શક્તિશાળી લોકો ધમકી આપી રહ્યા છે. એટલા માટે તે બ્રિટનથી ભારત આવવા નથી માંગતા. દેશમાં મહામારી રોકાઈ નથી રહી, રસીની અછત છે આ દરમિયાન રસી માટે દબાણ બનાવવા ધમકી ભર્યા ફોન આવવાના મામલા સામે આવવા ચિંતા પૈદા કરાનારુ છે.
તમામ ભાર મારા ખભા પર પડી રહ્યો છે મારા એકલાનું કામ નથી
દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે પૂનાવાલાએ કોરોનાની રસીની માંગના વધારાને લઈને પોતાની ઉપર દબાણની વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે તમામ ભાર તેમના માથે આવી પડ્યો છે. જ્યારે આ તેમના એકલાનું કામ નથી.