દિલ્હીના આવેલી સરકારી શાળાની શિક્ષિકાના કોરોનાથી મોતનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર MCD સિવિલ લાઇન્સ સ્કૂલમાં ભણાવતા 45 વર્ષીય શિક્ષકનું કોરોનાથી અવસાન થયું છે. દિલ્હીમાં સરકારી શાળાની શિક્ષિકાનું કોરોનાથી મોત થયું છે
આ 45 વર્ષીય શિક્ષકનું કોરોનાથી અવસાન થયું છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા શિક્ષિકાને અનાજ વિતરણ માટે ફરજ પર તૈનાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના કારણે વધુ પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ જીવલેણ વાયરસને કારણે મૃત્યુ પામેલા પાંચેય લોકોને દિલ્હીની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે દિલ્હીમાં, કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 73 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના 381 નવા કેસો નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં કોરોના કુલ કેસ વધીને 6,923 થઈ ગયા છે. દિલ્હી સરકારે કહ્યું છે કે, "કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. દિલ્હીમાં કુલ 1017 લોકોને કોરોના વાયરસ થયો છે,
જેમાંથી અત્યાર સુધીમાં 36 લોકો મૃત્યુ પામ્યા છે." ત્યારે 50 થી 60 વર્ષની વયના 1073 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 24 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે સૌથી વધુ કોરોનાના દર્દી 50 વર્ષથી કે તેથી ઓછી ઉંમરની વ્યક્તિ છે. 50 વર્ષથી ઓછી ઉંમરની 4833 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. જેમાંથી 13ના મોત થયાં છે.