જીતુ લાલ સહિત પરિવારના ત્રણથી ચાર સભ્યોને પણ કોરોના
સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ
ગુજરાતમાં કોરોના કહેર ધીમી ગતિએ વધી રહ્યો છે ત્યારે એકબાદ એક કેસમાં ઉછાળો આવી રહ્યો હોવા તેવું લાગી રહ્યું છે, ત્યારે ઉદ્યોગપતિઓ અને વિદેશથી પગર ફરેલા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, જામનગરમાં એક જાણીતા અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે, શહેરના જાણીતા યુદ્યોગપતિ દીકરાના લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમિત થયા છે અને તેમનો પરિવાર પણ કોરોના પોઝિટિવ થયો છે. ઉદ્યોગપતિ જીતુલાલ સહિત તેના ત્રણથી ચાર સભ્યોનો પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થયું છે.
જીતુ લાલ સહિત પરિવારના ત્રણથી ચાર સભ્યોને પણ કોરોના
ઉલ્લેખનિય છે કે જીતુલાલના દિકરાનો લગ્ન પ્રસંગ જયપુરમાં યોજાયો હતો અને તેમાં વિદેશી મહેમાનો પણ હાજર રહ્યા હતા, ત્યારે જીતુલાલા અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત થયા હતા. જીલુલાલે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મહત્વનું છે કે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો કેસ જામનગરમાં નોંધાયો છે
દુનિયાના અનેક દેશો ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં
ઓમિક્રોન વેરિએન્ટ એ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક માનવમાં આવે છે, દુનિયાના અનેક દેશ તેની ઝપેટમાં આવી ગયા છે તેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો નથી, જો કે કોરોનાની પહેલી અને બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે પણ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, હાલ જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે જોતા હવે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે સૌ કોઈને કોરોનાની ગાઈડલાઈન અને માસ્ક અને સોશિયલ ડિસ્ટિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
માસ્ક અને સોશિયલ ડિસ્ટિંગના નિયમોનું પાલન જરૂરી
અહીં ઉલ્લેખનિય છે કે ગઈ કાલે સુરતમાં બે શાળોમાં બાળકો પોઝિટવ આવ્યા છે, તો UKથી પરત આવેલા વડોદરાના એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તો આણંદમાં પણ UKથી આવેલી યુવતીઓ રિપોર્ટ ક્વોરોન્ટાઈ સમય પૂર્ણ થયા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.