અમદાવાદઃ ચમનપુરા વિસ્તારમાં આવેલ બાપાલાલ ઘાંચીની ચાલીમાં 2 પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનામાં 45 વર્ષીય ગીરીશભાઈ પટણીનુ મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનુ છે કે 2 પરિવારો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ ઝઘડો હિંસક થયો હતો અને બન્ને પરિવારોએ એક બીજા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ગીરીશભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે પથ્થરો તેમના માથા અને છાતીના ભાગે વાગ્યા હતા. અને તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મામલો થાળે પાડ્યો હતો.