ધ કશ્મીર ફાઈલ્સનાં એક દ્રશ્યમાં એક ચોખાનાં ડ્રમમાં છુપાયેલા વ્યક્તિને ગોળી મારવામાં આવે છે. આ વ્યક્તિની ભત્રીજીએ સામે આવીને હવે આ દ્રશ્યની પુષ્ટિ કરી છે.
'ચોખાનાં ડ્રમમાં જેને ગોળી મારવામાં આવી તે મારા કાકા હતા'
ધ કશ્મીર ફાઈલ્સનાં આ દ્રશ્યને લઈને પીડિતાએ કહ્યું
આ ફિલ્મને લઈને વિવાદ હજુ પણ કાયમ
'ચોખાનાં ડ્રમમાં જેને ગોળી મારવામાં આવી તે મારા કાકા હતા'
ધ કશ્મીર ફાઈલ્સને લઈને ઉઠેલ વિવાદ સતત વધતો જ રહે છે. આ વચ્ચે આ ફિલ્મ સાથે જોડાયેલ નવો મામલો સામે આવ્યો છે. આ ફિલ્મમાં એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં એક વ્યક્તિને ગોળી મારવામાં આવે છે, તે વ્યક્તિ ચોખાનાં ડ્રમમાં છુપાઈ જાય છે. પરંતુ ક્રુરતા સાથે તેના પર ગોળીબાર કરવામાં આવે છે. હવે તે પીડિતા સામે આવી છે, જેનાં પર આ અત્યાચારો થયા હતા.
ધ કશ્મીર ફાઈલ્સનાં આ દ્રશ્યને લઈને પીડિતાએ કહ્યું
ટેલીકોમ ઓફિસર બાલકૃષ્ણ ગંજૂની ભત્રીજીએ આ મુદ્દા પર વાત કરી છે. તે આજકાલ અમેરિકાનાં કેલિફોર્નીયામાં રહે છે. તે કહે છે કે ચોખાનાં ડ્રમમાં જે માણસને ગોળી મારવામાં આવી હતી, તે મારા કાકા હતા. તેમણે ગોળીઓથી વીંધી દેવામાં આવ્યા હતા. 'ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મમાં આ બતાવવામાં આવ્યું છે.
ફિલ્મને લઈને વિવાદ હજુ પણ કાયમ
આ ફિલ્મ જ્યારથી રિલીઝ ત્યારથી વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે . આ ફિલ્મને લઈને ઘણા પ્રદર્શનો પણ જોવા મળી રહ્યા છે. રાજસ્થાનનાં કોટામાં આજે એટલે કે 22માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ રહેશે. 'ધ કશ્મીર ફાઈલ્સ'ની સ્ક્રીનીંગ સાથે કાનૂન-વ્યવસ્થા જાળવી રાખવા માટે કોટાનાં જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટએ આ આદેશ જાહેર કર્યો છે.
ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.