રાજ્યમાં રામનવમી પર્વ પર કેટલાક અસમાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો.જો કે, ઉમરગામમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના દર્શન થયા હતાં.
ઉમરગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કોમી એકતાના અનોખા દર્શન થયા
હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉમરગામમાં કોમી એક્તા ના થયા અનોખો દર્શન
રાજ્યમાં રામનવમીના પર્વે ખંભાત અને હિંમતનગરમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં હુનમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એક્તા ના અનોખો દર્શન થયા હતાં.હનુમાન મંદિર ના નિર્માણ માં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજે આપ્યું 21 હજારનું દાન
ઉમરગામમાં માછી સમાજ સંચાલિત નવનિર્મિત હનુમાનજી મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા. અને હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજના યોગદાન તરીકે 21 હજાર રૂપિયા નું યોગદાન પણ આપ્યું હતું.
મહોત્સવમાં મહત્વની જવાબદારી મુસ્લિમ સમાજે ઉપાડી
સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી હતી.તો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં મુસ્લિમ મહિલાઓ એ પણ આ ધાર્મિક કાર્યક્રમ માં જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જ્યા રાજ્યમાં એક તરફ ધર્મ ના નામે એક સમાજ બીજા સમાજ ને ધિકારતો જોવા મળે છે ત્યારે નાનકડા ઉમરગામ ના તમામ ધર્મના લોકો આ મહોત્સવમાં જોડાઈ એક બીજા ના ધર્મ ને આદર અને સત્કાર આપી કોમી એકતા ની મિશાલ પૂરી પાડી છે
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી રહ્યા હાજર
મહત્વનું છે કે, હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ પણ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ ઉમરગામ નું હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતાનું પ્રતિક બન્યો હતો.આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તોએ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.