ખેડામાં મહાશિવરાત્રીના પર્વે ગળતેશ્વર મહાદેવ મંદિરમાંથી નાગ નીકળ્યો, હર હર ભોલેના નાદ બાદ લોકોએ સર્પ દર્શન કર્યા હતાં જે અનોખી ઘટના શિવરાત્રીના અવસરે શોસિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ છે
ખેડાના શિવાલયમાં બન્યો અનોખો કિસ્સો
ગળતેશ્વર મહાદેવ મંદિરમાંથી નીકળ્યો નાગ
હર હર ભોલેના નાદ બાદ લોકોએ કર્યા સર્પ દર્શન
આજે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પવિત્ર તહેવાર એટલે શિવરાત્રી છે. શિવરાત્રી એટલે શિવ અને માતા પાર્વતીની પૂજાનો સૌથી મોટો તહેવાર.આજે ખેડામાં મહાશિવરાત્રીના પર્વે શિવાલયમાં અનોખો કિસ્સો બન્યો છે.
દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે મંદિરમાંથી નીકળ્યો નાગ
ખેડામાં મહાશિવરાત્રીના પર્વે શિવાલયમાં અનોખો કિસ્સો બન્યો છે. ગળતેશ્વર મહાદેવ મંદિરમાંથી નાગ મહારાજ નીકળ્યા હતો. દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે મંદિરમાંથી નાગ નીકળતા અજીબ માહોલ સર્જાયો હતો. જે નાગને જોઈ ભક્તોમાં થોડીવાર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ નાગ મહારાજને જોઈ ગળતેશ્વર મહાદેવ મંદિરમાં લોકોએ જયજયકાર કરી હતી, હર હર ભોલેના નાદ બાદ લોકોએ સર્પ દર્શન પણ કર્યા હતો. દર્શનાર્થીઓએ નાગ મહારાજને સુરક્ષિત જગ્યાએ જવા માટે રસ્તો કરી આપ્યો હતો. આ અનોખી ઘટના શિવરાત્રીના અવસરે શોસિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે. જેને લઈ લોકો કહી રહ્યાં હતાં કે, આજે નાગ મહારજ પણ શિવ શંકર ભગવાનના દર્શને આવ્યા છે.
આજે મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. શિવજીના આ વિશેષ પર્વ પર ભક્તો દ્વારા ખાસ પૂજા કરવામાં આવી રહી છે. શિવરાત્રીના આ પર્વ સાથે જોડાયલી અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે. આજના દિવસે અનેક લોકો ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રીનો આ દિવસ તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.
જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું
આજે વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ છે. મહત્વનું છે કે, આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે. મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી રહ્યું છે. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું છે. મહત્વનું છે કે, આજે સવારથી પાર્થેશ્વર પૂજા, બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે.
ભવનાથ મંદિરે ભક્તોની જામી ભીડ
જૂનાગઢમાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી છે. ભાવિકો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જૂનાગઢમાં રાજ્યભરમાંથી લોકો પહોચ્યા છે. જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઇથી આવેલા 16.5 ફૂટનો વ્યાસ ધરાવતો 250 કિલોના આર્ટિફિશિયલ શંખને મહા શિવરાત્રીના પાવન દિવસે વિધી બાદ દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે.