યુપીના કાનપુરમાં શનિવારે રાતે એક મોટો અકસ્માત થયો હતો જેમા ટ્રેક્ટર અને ટ્રોલી તળાવમાં ખાબક્યાં હતા અને તેમાં 25 લોકોના મોત થયા હતા.
યુપીના કાનપુરમાં મોટો અકસ્માત
ટ્રેકટર અને ટ્રોલી તળાવમાં ખાબક્યા
25 લોકોના મોત
દર્શન કરીને પાછા આવી રહ્યાં હતા શ્રદ્ધાળુઓ ત્યારે બની ઘટના
યુપીના કાનપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈને તળાવમાં પડી જતાં શનિવારે ઓછામાં ઓછા 25 યાત્રાળુઓના મોત થયા હતા. મૃતકોમાં 11 બાળકો, 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ હતા. દુર્ઘટનામાં બે ડઝનથી પણ વધારે લોકો ઘાયલ થયા છે જેમાંના કેટલાક ગંભીર છે તેથી મૃતાંક વધી શકે છે. 50 લોકો ટ્રેક્ટરમાં બેસીને ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે કાનપુરના ઘાટમપુર વિસ્તાર નજીક દુર્ઘટના સર્જાઈ હતી. રાતે ઓછી લાઈટને કારણે બરાબર ન દેખાતા ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું હતું આ જોઈને રાડારાડ મચી હતી. તળાવમાં પાણી ઘણું હોવાથી લોકો ડૂબવા લાગ્યાં હતા જે લોકોને તરતા આવડતું હતું તેઓ બહાર આવી ગયા હતા આ દરમિયાન 25 લોકો તો ડૂબી ગયા હતા જેમની લાશ બહાર કાઢવામાં આવી હતી.
Tractor trolley carrying pilgrims overturns in UP's Kanpur, at least 10 killed
11 બાળકો અને 11 મહિલાઓના મોત
દુર્ઘટનામાં કુલ 25 લોકોના મોત થયા છે જેમાં 11 બાળકો અને 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ છે. આ તમામ લોકો ફતેહપુર દેવીના દર્શન કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Uttar Pradesh | Over two dozen people injured after a tractor trolley carrying pilgrims returning from Unnao met with an accident as it overturned in Ghatampur area in Kanpur district. Police on the spot pic.twitter.com/AKCY9rxRWH
લાઈટ ઓછી હોવાથી ટ્રેક્ટર અને ટ્રોલી તળાવમાં પડ્યાં
ટ્રેક્ટરની લાઈટ ઓછી હોવાથી ડ્રાઈવરને બરાબર દેખાતું નહોતું અને તેને કારણે આવો અકસ્માત થયો હતો. ઘટના ખબર મળતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોકોને તળાવમાંથી બહાર કાઢવાનું શરુ કર્યું હતું.
તળાવમાંથી 25 લોકોની લાશ બહાર કઢાઈ
આ તળાવમાંથી અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ઘણા ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર શ્રદ્ધાળુઓ સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરથા ગામના રહેવાસી છે. બધા ફતેહપુરના ચંદ્રિકા દેવી દેવી મંદિરમાં ગયા હતા. પરત ફરતી વખતે સાધ અને ગંભીરપુર ગામની વચ્ચે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ટ્રોલી પલટી ગઈ હતી.
સીએમ યોગીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું
કાનપુર દુર્ઘટનામાં 22 લોકોના મોત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલાની નોંધ લઈને સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દીધા છે. સીએમ યોગીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે.
PM Modi expresses condolences over tractor-trolley mishap in Kanpur & also announces an ex-gratia of Rs 2 lakh from PMNRF to the next of kin of the deceased & Rs 50,000 to the injured https://t.co/kF97Rufcczpic.twitter.com/pNWOmDeV9D
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
આ ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ના વળતરની જાહેરાત કરી હતી.