આજે પાટનગર ગાંધીનગરમાં દિવસભર ગરમાવો રહેવાની શક્યતા છે. એક તરફ કોંગ્રેસનું આદિવાસી સંમેલન અને બીજી તરફ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં બે કાર્યક્રમથી ગરમાવો
કોંગ્રેસનું આદિવાસી સંમેલન
ખેડૂતો પણ કરશે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસનું આદિવાસી સમાજના અધિકારોને લઇ વિરોધ પ્રદર્શન
આજે કોંગ્રેસનું આદિવાસી સંમેલન અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શનના એમ બે કાર્યક્રમો આજે પાટનગરમાં યોજાશે. કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના અધિકારોને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજાશે. મહત્વનું છે કે, આદિવાસી સમાજને ખતમ કરવાનું કાવતરું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આદિવાસી સમાજને ખેડવાની જમીન અને ઘર લઇ લીધા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સભા બાદ વિધાનસભાના ઘેરાવ કરવા જઇ શકે છે કોંગ્રેસ - સૂત્ર
આ સાથે કોંગ્રેસ દ્વારા પાર-તાપી રિવર લિંક યોજનાને પડતી મુકવા આદિવાસી સમાજે રજૂઆત કરી છે. સરકાર આદિવાસી સમાજને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈને રાજ્યભરમાંથી આદિવાસી સમાજના લોકોને સંમેલનમાં આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. બીજી તરફ ગાંધીનગર પોલીસે માત્ર સભા કરવાની મંજૂરી કોંગ્રેસને આપી છે. વિરોધ પ્રદર્શન કે દેખાવ સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સરકારને પડકાર
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સભા બાદ વિધાનસભાના ઘેરાવ કરવા કોંગ્રેસ જઇ શકે છે કોંગ્રેસ. આદિવાસી સંમેલન અને ખેડૂતો વિરોધને લઇ ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકારને પડકાર ફેંક્યો છે. તંત્રના સહારે સરકાર લોકોને દબાવી રહી છે. જેટલી પોલીસ ગોઠવવી હોય એટલી ગોઠવી દેજો. ગાંધીનગરમાં રેલી થઇને જ રહેશે. વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવાની ના હોય. લાઠીચાર્જ કરવો હોય તો પણ કરી લેજો એવું જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.