રાજસ્થાનમાં દિલ્હી જયપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહિત 5 લોકોના કરૂણ મોત થયા છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
દિલ્હી જયપુર રોડ પર સર્જાયો ભયંકર અકસ્માત
અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનોના મોત
પોલીસ આરોપીને દિલ્હીથી ભાવનગર લાવી રહી હતી
રાજસ્થાનમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માત દિલ્હી-જયપુર રોડ પર સર્જાયો અને આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ સહિત કુલ 5 લોકોના કરૂણ મોત થયા છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ પેલાઈ ગયો છે. પોલીસ એક આરોપીને ભાવનગર લઈને આવી રહી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો.
Five people including four policemen died when a vehicle of Gujarat Police carrying an accused from Delhi to Gujarat met with an accident in Bhabroo area of Jaipur, tweets Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/YSxvqBQPi8
આ અકસ્માતમાં 1 હેડ કોન્સ્ટેબલ, 3 કોન્સ્ટેબલ અને એક આરોપીનું પણ મોત થયું છે. જેને પોલીસ દિલ્હીથી પરત લાવી રહી હતી. ઘરફોડ ચોરીના મામલે પોલીસ આરોપીને દિલ્હી પકડવા ગઈ હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો છે. જેમા કુલ 5 લોકોના મોત થયા છે.
CM અશોક ગહેલોતે દુખ વ્યક્ત કર્યુ
આ અકસ્માતને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી કે દિલ્હી થી ગુજરાત જઈ રહેલી કારનો અકસ્માત થતા તેમા 4 પોલીસ કર્મીઓના સહિત 5 લોકોના મોત થયા છે. જે મામલે મને ઘણુ દુખ થયું સાથેજ તેમણે મૃતકોના પરિવારને તેમની સંવેદના પાઠવી હતી.
પોલીસ બેડામાં શોકનો માહોલ
ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનો આરોપીને પકડીને ગુજરાત લાવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત નડ્યો જેમા 4 પોલીસ કર્મીઓ સહિત 5 લોકોના મોત થયા છે. જે આરોપીને પોલીસ લાવી રહી હતી તે ઘરફોડ ચોરીનો આરોપી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ જવાનોના મોતને કારણે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.