કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે અત્યાર સુદીમાં 57 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સાથેજ હવામાન વિભાગે અગામી 5 દિવસ સુધી અહીયા ભારે વરસાદની આગાહી પણ કરી છે.
કર્ણાટકમાં ભારે વરસાદને કારણે 24 લોકોના મોત
આધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે 33 લોકોના મોત
આગામી 5 દિવસ સુધી પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભર શિયાળે ભારે વરસાદને કારણે અહીયા જનજીવન ખોરવાયું છે. આપને જાણીને નવાઈ લાગશે કે અહીયા ભારે વરસાદને કારણે આંધ્રમાં 33 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ગાયબ છે. બીજી તરફ કર્ણાટકમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
#WATCH | Karnataka: A biker had a narrow escape after he swept away while crossing a flooded road in Tumakuru pic.twitter.com/qbNqefsBnD
હજુ પણ અહીયા ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25 તારીખ સુધી અહીયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથેજ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ
ભારે વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથેજ નીચાણવાળા વિસ્તારોમાં તો જળ બંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. ઉપરાંત રેલ્વે અને હાઈવે પણ અહીયા તો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે લોકોને આવવા જવામાં પણ ભારે તકલીફ થઈ રહી છે અને ઘણા બધા લોકો ત્યા ફસાઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 5 દિવસ સુધી કર્ણાટક, કેરળ, તમિલનાડું, અને પુડ્ડચેરીમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત આગાંમી 24 અને 25 નવેમ્બરે તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતીભારે વરસાદ પડવાની સંભવના વર્તાઈ રહી છે.
#WATCH | Indian Navy drops relief material in various flood-affected areas of Andhra Pradesh's Kadapa district
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે કર્ણાટકમાં 24ના મોત થયા છે જ્યારે આંધ્રમાં 33ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વરસાદને કારણે 658 ઘર પૂરી રીતે પડી ગયા છે. સાથેજ 191 પશુઓના મોત પણ થયા છે. આ સિવાય ચેન્નઈથી કોલકત્તા જવા વાળા નેશનલ હાઈવે 16નો પણ એક ભાગ તૂટી ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ સમગ્ર મામલે ખેડૂતો માટે 79 કરોડના રાહત ફંડની જાહેરત કરી છે.