મહારાષ્ટ્રમાં હોનારત : રાયગઢમાં ભૂસ્ખલનમાં કુલ 44 લોકોનાં મોત
મહારાષ્ટ્રમાં મોતનો વરસાદ
જળપ્રલયમાં 44 લોકોનાં કરૂણ મોત
સર્ચ ઓપરેશન યથાવત
44 લોકોનાં કરૂણ મોત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં તોફાનનાં કારણે ભયંકર તબાહી જોવા મળી રહી છે. મુંબઈની નજીક આવેલ મહાડમાં કુલ ત્રણ જગ્યાઓ પર ભૂસ્ખલન થવાના કારણે કેટલાય લોકોનાં ઘર દબાઈ ગયા જેના કારણે 44 લોકોનાં મોત થયા છે.
30થી 35 લોકોની તલાશ હજુ ચાલુ
અહિયાં તલઈમાં 32 લોકોનાં મોત થયા છે જ્યારે સાખર સુતાર વાડીમાં ચાર લોકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બંને જગ્યાઓ પર 15 લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે 30થી 35 લોકોની તલાશ હજુ ચાલુ છે.
A total of 36 people died in the district due to landslides, 32 of them died in Talai and 4 in Sakhar Sutar Wadi. 30 people trapped: Nidhi Chaudhary, District Collector, Raigad#Maharashtra
સાવિત્રી નદી બની તોફાની
મહાડમાં સાવિત્રી નદી સતત ખતરાનાં નિશાનથી ઉપર વહી રહી છે અને મહાડ અને ખેડમાં NDRF તથા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. બચાવ માટે નૌસેનાની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. મહાડની પાસે નૌસેના પાણીમાં ઉતરીને મદદ કરી છે તથા દાસગાંવ અને ટોલનાકા પાસે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.
ચિપલૂનમાં પૂરનાં કારણે કહેર
રત્નાગિરીમાં પણ ભારે વરસાદનાં કારણે પરિસ્થિતિ બેહાલ થઈ છે. ચિપલૂનમાં પણ પૂરનું પાણી હજુ ભરાયેલું છે. હજારો લોકો ત્યાં ફસાયેલા છે તથા જે તે લોકોનાં સગાવ્હાલા ચિપલૂનની બહાર ઊભા રહીને સોશ્યલ મીડિયા લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.