મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માહિતી આપી છે કે રાજ્યના 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
મહારાષ્ટ્રના 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં
રાજ્યમાં કોરોના કેસોમાં ધારો થતો રહેશે તો વધુ નિયંત્રણો લાદાશે
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોનના 454 કેસ નોધાયા
Nashik | A total of 10 ministers and over 20 MLA's have tested positive for COVID19 in Maharashtra, says Deputy CM Ajit Pawar pic.twitter.com/kc2yXVxC4t
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માહિતી આપી છે કે, રાજ્યના 10 મંત્રીઓ અને 20થી વધુ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનું કહેવું છે કે, જો રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહેશે. તો કેટલાક વધુ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ કોરોના અને ઓમિક્રોનને કારણે હૈદરાબાદ અને ગોવાની મુલાકાત એક સપ્તાહ માટે સ્થિગિત કરી દીધી છે. કોંગ્રેસના નેતા આનંદ શર્મા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. આ યાત્રા 7 જાન્યુઆરીથી પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમી સિવાય તેને અન્ય સ્થળોએ પણ જવું પડતું હતું.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 454 કેસ, દિલ્હીમાં 351
રાજ્યોની વાત કરીએ તો ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીમાં 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે. જેના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 454 દર્દી સામે આવ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં 351 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં તમિલનાડુમાં 118 અને ગુજરાતમાં 115 કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 109 કેસ નોંધાયા છે.
દેશમાં ઓમિક્રોનના 1431 કેસો નોધાયા
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે વેગ પકડી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 22,775 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઓમિક્રોનના કેસ વધીને 1431 થઈ ગયા છે.
મુંબઈમાં 5631 નવા કોરોના કેસો નોધાયા
શુક્રવારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણના 5,631 નવા કેસ નોંધાયા હતાં. ગત દિવસની સરખામણીમાં સંક્રમણના નવા કેસોમાં 53 ટકાનો વધારો નોંઘાયો છે. BMCના અધિકારીઓએ આ માહિતી આપી. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન રોગચાળાને કારણે એક દર્દીનું મોત થયું છે. નવા કેસના આગમન સાથે, મુંબઈમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 7,85,110 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 16,376 દર્દીઓના મોત થયા છે.