તેલંગાણામાં ત્રણ વર્ષના બાળકના શરીરની અંદરથી 11 સોય મળી આવી હતી. સોય બાળકની નીચેની પીઠ અને આંતરિક ભાગોની અંદરથી મળી આવી હતી. છોકરાને સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો ત્યારે આ બાબત બહાર આવી હતી.
બાળકના શરીર અંદરથી મળી આવી 11 સોય
સર્જરી કરી બહાર લાવવામાં આવી 8 સોય
શંકાસ્પદ લોકો પર માતા-પિતાએ કરી પોલીસ ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર, બાળક છેલ્લા પાંચ-છ મહિનાથી અસ્વસ્થ હતું અને તેના માતા-પિતા પી.અશોક અને અન્નપૂર્ણા, જે વનાપર્તીના વીપાંગંડલામાં રહે છે, જેટલી વખત તેઓ તેમના બાળકને સ્થાનિક ડોક્ટર પાસે લઇ જતા તેટલી વાર તે રડતા પરત ફરતા હતા. જો કે, રવિવારે, માતા-પિતાએ બાળકની પીઠમાંથી સોય નીકળતા ઝૂંટવી લીઘી અને તરત જ તેને હોસ્પિટલમાં ખસેડ્યો.
TNM સાથે વાત કરતાં સબ ઇન્સપેક્ટર (S.I) વહીદ અલીએ કહ્યું, માતા-પિતા છેલ્લા છ મહિનાથી બાળકની તબિયત અંગે ચિંતિત હતા અને ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટરએ તેમને એક્સ-રે કરાવાનું કહ્યું. એક્સ-રે રિપોર્ટમાં બહાર આવ્યું કે, બાળકના શરીરની અંદર, તેના પેલ્વિક ક્ષેત્રની આસપાસ અન્ય 10 સોય હતી.
બાળકને તાત્કાલિક સર્જરી કરાવા લઈ જવામાં આવ્યો
ડોકટરોએ સાવચેતીપૂર્વક તપાસ કર્યા બાદ સર્જરી કરી 8 સોય બહાર લાવવામાં સફળતા મેળવી છે. 2 સોય હજી કાળજી લેવી પડશે કારણ કે, ડોકટરો કહે છે કે સોય સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી થોડો વધારે સમય લાગશે, પોલીસે જણાવ્યું કે નવજાત બાળકની સારવાર ડોક્ટર શ્રીનિવાસ રેડ્ડીની દેખરેખમાં વનાપર્તીની સુધા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
માતા-પિતા દવારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે શંકાસ્પદ લોકો પર જે બાળકને જાણતા હોય અને તેના પરિવારમાં સામેલ હોય. 'અમે માતા-પિતાની શંકાને આધારે થોડા લોકોની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં છોકરો સુરક્ષિત અને સ્વાસ્થ્ય છે,' વહીદે કહ્યું. IPC ની કલમ 324 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 (બાળક પર ક્રૂરતા માટેની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.