Jammu Kashmir News: શનિવારે મધરાત્રે આતંકવાદીઓ દેખાયા અને શરૂ થયો બંને તરફથી ગોળીબાર, બારામુલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ અથડામણ
શનિવારે બારામુલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો
ગઈકાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 5 જવાન થયા હતા શહીદ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શનિવારે બારામુલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આ અથડામણ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શરૂ થઈ હતી. આ દરમિયાન રાજૌરીના કાંડી જંગલમાં હાલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા 8થી 9 આતંકીઓ ઘેરાયેલા છે. નોંધનીય છે કે, ગઈકાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હતા.
એક ખાનગી મીડિયા અનુસાર સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, શનિવારે સવારે 1.15 વાગ્યે આતંકવાદીઓનો સંપર્ક થયો હતો અને બંને તરફથી ગોળીબાર થયો હતો. શુક્રવારે સવારે કાંડીના જંગલ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થયા હતા અને એક અધિકારી ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ ઘાયલ થયેલા વધુ ત્રણ સૈનિકોનું કમનસીબે મોત થયું હતું. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સંયુક્ત ઓપરેશનમાં કુલ પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે.
#WATCH| J&K: Encounter underway in Karhama Kunzer area of Baramulla
શુક્રવારે પણ 5 જવાન થયા હતા શહીદ
શુક્રવારે માર્યા ગયેલા સૈનિકોમાંથી ચાર 9 પેરા (સ્પેશિયલ ફોર્સીસ)ના કમાન્ડો હતા. જ્યારે પાંચમો રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનનો હતો. સેનાએ તેમની ઓળખ અખનૂરના હવાલદાર નીલમ સિંહ, પાલમપુરના નાઈક અરવિંદ કુમાર, ઉત્તરાખંડના ગેરસાઈનના લાન્સ નાઈક રુચિન સિંહ રાવત, દાર્જિલિંગના પેરાટ્રૂપર સિદ્ધાંત છેત્રી અને હિમાચલ પ્રદેશના સિરમૌરના પેરાટ્રૂપર પ્રમોદ નેગી તરીકે કરી છે. આ જવાન 20 એપ્રિલે થયેલા હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને પકડવાનો પ્રયાસ કરી રહેલી સેનાની ટીમનો ભાગ હતા.