1149 મેટ્રિક ટન તેમજ 760 મેટ્રિક ટન સહિતના બે ભારે વાહનોને પસાર કરવા માટે નર્મદા કેનાલ ઉપર લોખંડનો 300 ટનનો એક નવો લોખંડ નો પુલ તૈયાર કરવામાં આવ્યો
એ ચાલે તો બ્રિજ તૂટી જાય
એ હાલે તો ધ્રૂજી ઉઠે ધરા
જેને જોવા દૂર દૂરથી આવે છે લોકો
ટેકનોલોજીના વિકાસે સૂક્ષ્મ થી માંડી મહાકાય મશીનરી માનવજાતને ભેટ આપી છે. પરંતું તેમા મહાકાય મશીનરીના વહનનું કામ ખૂબ ભગીરથ જહેમત માગી લે છે. જેના સાક્ષી આજકાલ બનાસકાંઠાના લોકો બની રહ્યા છે.એક મહાકાય અને વજનદાર રિએક્ટરે બનાસકાંઠામાં ભારે ચર્ચા જગાવી છે. કેમ કે, કંડલા થી આવતા બે અતિભારે રિએક્ટરને રાજસ્થાનના બાડમેર લઇ જવાના છે. જેના માટે તદ્દન નવો પુલ તૈયાર કરવો પડ્યો છે.
હા... આપને થતું હશે કે એવું તે એ કેવું મશીન હશે કે જેના માટે નવો પુલ બનાવવો પડે...કેમ કે, આપે ભાગ્યે જ આવું આવું કોઈ મહાકાય મશીન જોયું હશે...ટેકનોલોજીના વિકાસે સૂક્ષ્મ થી માંડી મહાકાય મશીનરી માનવજાતને ભેટ આપી છે...પરંતું તેમા મહાકાય મશીનરીના વહનનું કામ ખૂબ ભગીરથ જહેમત માગી લે છે.. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મહાકાય અને વજનદાર રિએક્ટરે બનાસકાંઠામાં ભારે ચર્ચા જગાવી છે...કંડલા થી આવતા બે ભારે રિએક્ટરને રાજસ્થાનના બાડમેર લઇ જવાના છે. બન્ને રિએક્ટર માંથી એકનું વજન 1149 મેટ્રિક ટન છે તો બીજાનું વજન 760 મેટ્રિક ટન છે... તેમાં પણ 760 મેટ્રિક ટન 352 ટાયર અને 1148 મેટ્રિક ટન 448 ટાયર વજનના બે રિએક્ટરને થરાદ થી રાજસ્થાનની રિફાઇનરીમાં લઈ જવામાં આવી રહ્યા છે.
આ બન્ને રિએક્ટર બનાસકાંઠાના લોકોમાં ચર્ચા અને કુતૂહલનું કેન્દ્ર બન્યા છે. કારણ એ છે કે, આ બન્ને રિએક્ટરને થરાદ નજીક આવેલી નર્મદા કેનાલ ઉપર આવેલા એક જૂના પુલ પરથી પસાર કરવો શક્ય નથી.. કેમ કે એ જૂનો પુલ આ રિએક્ટર સાથે વાહનનો વજન સહન કરી શકે તેમ નથી. આથી આ મહાકાય રિએક્ટરને કેનાલ પાર કરાવવા માટે તદ્દન નવો લોખંડનો પુલ તૈયાર કરવો પડ્યો છે... નર્મદા કેનાલ ઉપર 300 ટનની કેપિસિટીનો એક નવો લોખંડનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. દસ દિવસના ભગીરથ પ્રયાસ બાદ આશરે 4 કરોડના ખર્ચે આ હંગામી પુલ તૈયાર કરવામા આવ્યો છે.