ભાવનગરમાં અગાઉ પણ પાલીતાણા માંથી જ સરકારી પુસ્તકો વહેંચી દેવાનો મામલો બહાર આવ્યો હતો અને ત્યારે પણ ઘી ના ઠામ મા ઘી પડી ગયું હતું
પાલીતાણાથી પુસ્તક ભરેલો છકડો ઝડપાયો
આપના કાર્યકર્તાઓએ ઉઠાવાયા સવાલ
કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર
એક તરફ ધોરણ 1 થી 12 મા કેટલાક અભ્યાસક્રમ ના પુસ્તકો.મળતા નથી ત્યારે સરકારી પુસ્તકો બારોબાર પસ્તીમાં વહેંચી દેવાતા હોવાનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે ભાવનગર ના સિહોર તાલુકા ના બુઢના ગામે સરકારી પુસ્તકો પસ્તીમાં વહેંચી દીધેલી હાલતમાં એક છકડો ઝાડપતા વિપક્ષ નો આક્ષેપ છે કે પુસ્તકો જુના ભલે હોઈ પરંતુ સરકારી મંજૂરી વગર વેચી શકાતા નથી જો કે અધિકારીએ આક્ષેપોને ફગાવ્યા છે
આપના કાર્યકર્તાઓએ છકડો ઝડપી પોલીસને કરી જાણ
ભાવનગરના પાલીતાણાથી ગઈ કાલે પુસ્તક ભરેલો એક છકડો ઝડપાયો. છકડોચાલકની પૂછપરછ કરતા પુસ્તકો સિહોરના બુઢના ગામેથી પસ્તીમાં મળ્યા હોવાની સામે આવ્યું હતું. જો કે આ પુસ્તકો ગયા વર્ષના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આપના કાર્યકરોએ ત્યાં પહોંચી આ સરકારી પુસ્તક કોના ઈશારે વેચી દેવામાં આવ્યા તેવા સવાલો પણ કર્યા છે. આપના કાર્યકર્તાઓએ છકડો ઝડપી અધિકારીઓ અને પોલીસને જાણ કરતા છકડો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
કોંગ્રેસે પણ સરકાર પાર કર્યા આક્ષેપો
તો બીજી તરફ કોંગ્રેસે પણ આક્ષેપો કરતા કહ્યું કે એક તરફ વિદ્યાર્થીઓ ને પૂરતા મળતા નથી ત્યાં બીજી તરફ સરકારી પુસ્તક સસ્તા દરે પસ્તીમાં પધરાવી દેવામાં આવે છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક બુઢનાની સરકારી શાળા પાસે રિપોર્ટ મગાવ્યો હતો.
'પુસ્તકો પસ્તીમાં વેચવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત લેવાઈ હતી મંજૂરી'
ભાવનગરના જિલ્લા શિક્ષણાઅધિકારીએ તાત્કાલિક બુઢનાની સરકારી શાળા પાસે રિપોર્ટ મગાવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી શિક્ષણાઅધિકારીનું કહેવું છે કે આ પુસ્તકો ચાલુ વર્ષના નથી જુના છે અને તે પસ્તીમાં વહેંચી દેવા સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત મંજૂરી પણ લેવમાં આવી છે જોકે તંત્ર હાલ તો આ ઘટના થાળે પાડી દેવા મથામણ કરી રહી છે અને છતાં જવાબદાર અધિકારીએ કોઈ પણ વધુ વિગત બહાર આવશે અને કોઈની ભૂલ જણાય તો કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.