ભારતમાં એવા ઘણા મંદિરો છે જેની વિવિધતા અને ચમત્કાર વિશે તમે સાંભળ્યું હશે. શ્રધ્ધા ખૂબ મોટો વિષય છે. આપણે બધા ભગવાનને ખુશ કરવા ચરણોમાં ફળ-ફૂલ ચંદન અને પ્રસાદ અર્પણ કરીએ છીએ પરંતું તમે ક્યારેય સાંભળ્યું કે ક્યાંય જોયું કે ભગવાનને ચોકલેટ ચડાવવામાં આવે? આજે અમે તમને જણાવશું એક એવા'જ મંદિર વિશે જ્યાં ભગવાનને પ્રસાદ સ્વરૂપે ચોકલેટ ચડાવવામાં આવે છે.
કેરળના 'થેક્કન પલાણી' બાલસુબ્રમણ્યમ એક અવું મંદિર છે કે જ્યાં શ્રધ્ધાળુઓ ભગવાનને ચોકલેટ અર્પણ કરે છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાનને 'મંચ મુરગન'ના નામથી ઓળખવામાં આવે છે.
મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે દૂર દૂરથી અલગ અલગ સમાજના લોકો પોતાના મનની ઇચ્થા પૂર્ણ કરવા માટે અહીં માનતાઓ લઇને આવે છે. જેમાં શ્રધ્ધાળુઓ ભગવાનને અર્પણ કરવા કોઇ લાડું કે મિઠાઇ નહીં પણ ચોકલેટ લઇને આવે છે. જો કે આ પરંપરા ક્યારથી ચાલી આવે છે અને તેની પાછળનું રહસ્ય શું છે તે વિશે કોઇને માહિતી નથી.