અરવલ્લીમાં ચૂંટણી દરમિયાન ફરજમાં રહેલા શિક્ષકનું હ્યદયરોગના કારણે મોત નિપજ્યું છે શિક્ષક મલેકપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા
ચૂંટણી ઉપર ફરજમાં રહેલા શિક્ષકનું મૃત્યુ
શામળાજીના નવા વેણપુરમાં મતદાન મથકમાં મૃત્યુ
રાત્રી દરમિયાન આવ્યો હૃદયરોગનો હુમલો
આજે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે જેમાં મતદાન મથકો પર શિક્ષકો મતદાનની પ્રક્રિયા સંભાળી રહ્યા છે, ત્યારે અરવલ્લીમાં ચૂંટણી દરમિયાન ફરજમાં રહેલા શિક્ષકનું હ્યદયરોગના કારણે મોત નિપજ્યું છે.મૃતક શિક્ષક મલેકપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષકને રાત્રી દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી પરતું તેમનું પાણ પંખેરું ઉડી ગયું હતું, સમગ્ર મામલે પોલીસને જાણ થતા શામળાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શામળાજીના નવા વેણપુરમાં મતદાન મથકમાં મૃત્યુ
મહત્વનું છે કે હાલ રાજ્યભરમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં શિક્ષકો મહત્વની જવાબદારી નિભાવતા હોય છે. શિક્ષકોને એક દિવસ પહેલા જ મતદાન મથકો પર મતદાનની કામગીરી માટે મોકલી દેવામાં આવતા હોય છે. આજે સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલનાર છે, તો 21 ડિસેમ્બરે મતદાનનું પરિણામ પણ આવનાર છે, મતગણતરીમાં પણ શિક્ષકો હાજર રહેતા હોય છે.
રાત્રી દરમિયાન આવ્યો હૃદયરોગનો હુમલો
આમ ચૂંટણીઓમાં મતદાનથી લઈ મતદાન ગણતરી સુધી શિક્ષકો ખડેપગે રહેતા હોય છે ત્યારે અરવલ્લીના શામળાજીમાં આવેલા નવા વેણપુરમાં મતદાન મથકમાં શિક્ષકનું મુત્યું થતા મતદાન મથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રી દરમિયાન શિક્ષકને હાર્ટ એટેક આવ્યો હતો. હ્યદયરોગના હુમલાને કારણે શિક્ષકનું મતદાન મથકમાં જ મોત નિપજ્યું છે. શામળાજી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.