કોરોના વાઇરસનો ભારતમાં પગપેસારો થઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવતા ખળભળાચટ મચી જવા પામ્યો હતો. જાપાનથી પરત ફરેલા અને સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક 60 વર્ષીય વ્યક્તિને કોરોના વાયરસની અસર હોવાની શક્યતા હોવાનું જણાતા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોરોનાએ વરસાવ્યો કાળો કેર
અમદાવાદમાં વધુ એક શંકાસ્પદ કેસ
દર્દીને હોસ્પિટલમાં ખસેડાયા
પ્રાપ્ત થતી વિગત અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં જાપાનના પ્રવાસથી પરત ફરેલા 60 વર્ષીય વ્યક્તિનમાં કોરોના વાયરસની અસર હોવાનું સામે આવતા જ તેમને શહેરની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમને SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. તથા તેમના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
સવારે સિવિલમાં એક શંકાસ્પદને કરાયો હતો દાખલ
આજે સિંગાપોરથી ભારત પરત ફરેલી શંકાસ્પદ મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટે કોરોના વાયરસ સામે લડવા માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. જો કે, આ મહિલાના બ્લેડ સેમ્પલમાં કોરોના નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.
જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે તેથી લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરો. અને 104 નંબર પરથી કોરોના વાયરસની માહિતી મેળવી શકો છો. એવા કોઈ લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગની ટીમ દર્દીના ઘરે જઈ સેમ્પલ લેશે. આ ઉપરાંત આરોગ્ય કમિશનર કહ્યું કે બધાએ સાથે હેન્ડ સેનિટાઈઝર સાથે રાખવું જોઇએ. અને લોકોએ હાથ મિલાવાથી દૂર રહેવુ સાથે જ ભીડભાડવાળી જગ્યામાં જવાનું પણ ટાળવું જોઇએ.
કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આપી માહિતી, ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે
કોરોના વાયરસને લઇ ભારતમાં ખતરો વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વાયરસને લઇને માહિતી આપી. અને ડો.હર્ષ વર્ધને કહ્યું કે ઇરાનની સહાયતા માટે 4 વૈજ્ઞાનિક મોકલી રહ્યાં છીએ. ઇરાનમાં ભારત લેબ બનાવશે અને વિદેશથી આવતા જતા લોકોની સ્ક્રીનિંગ થશે. ઇરાનમાં ફસાયેલા ભારતીયોનો ટેસ્ટ કરી ત્યાંથી લાવીશું.
ઇટલીના 14 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ
આ ઉપરાંત તેઓએ કહ્યું કે ઇટલીના 14 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. જેમને ITBP કેમ્પમાં રખાયા છે. ઇટલીના ગ્રુપમાં એક ભારતીય હતો, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. 21 ફેબ્રુઆરીના ઇટલીથી પર્યટકો ભારત આવ્યા હતા. ડો.હર્ષ વર્ધને વધુ માહિતી આપતા કહ્યું કે કેરળમાં 3 પોઝિટિવ લોકોની તબિયત સુધરી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જોઇએ અને હાથ મિલાવાથી બચવું જોઇએ. ઉપરાંત પાર્ટી, સામુહિક કાર્યક્રમોમાં જવાથી બચવુ જોઇએ. ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે.