કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર ન નીકળી શક્યા ત્યારે તાજેતરમાં થયેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
કોરોના વિકેશન પર મોટો સર્વે
સર્વેમાં બાળકોની માનસિક સ્થિતિ પર મોટો ખુલાસો
વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે માનસિક તણાવ
કોરોનાની મહામારીમા સ્કૂલ બંધ હોવાથી સંતાનોમા એકલતા અને મૂડમા બદલાવ આવ્યો છે. કોરોના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે. સંતાનો અભ્યાસ બાબતે આશાહીન રહેવાની સાથે, ઘરમાં પુરાઈ રહેવાથી વિદ્યાર્થીઓ માનસિક આઘાત અનુભવે છે. 90% વાલીઓએ આ સ્થિતિ હોવાનુ સર્વેમા જણાવ્યુ છે. જ્યારે 81% વાલીઓએ જણાવ્યું છે કે, ઘરે રહેવાથી સંતાન ઉદાસ ક્યારેક ખુશ અને ક્યારેક આક્રમક બની જાય છે.
બાળકોમાં તણાવ વધ્યો
કોરોનાનું સંકટ નકારાત્મક ઘટના છે. આ સમયે ઘણા બાળકો તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાળકો બાળપણથી જ પોઝિટિવ વાતાવરણમાં રહ્યા છે, તેમના સામે આ સમય કોરોના સંકટ એક ભયંકર નકારાત્મક ઘટના છે. આવી ઘટનાઓ હંમેશાં બાળકોમાં તણાવનું કારણ બને છે.
તણાવના કારણે હોર્મોન્સમાં થયાં ફેરફાર
આ સમયે જ્યારે સ્કૂલો બંધ છે, બાળકોમાં ઘરમાં બંધ છે. આવા સમયમાં તેમના મગજમાં અનેક પ્રકારની ધારણાઓ ઉભી થાય છે.માતાપિતાએ તેમના પર નજર રાખવી જોઈએ. તણાવના કારણે હોર્મોન્સમાં ફેરફાર થાય છે. કેટલાક બાળકોમાં ડેઈલી રૂટિનમાં પરિવર્તન થતાં તેની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તણાવપૂર્ણ ઘટનાઓ જોવા અને સાંભળવાના કારણે બાળકોમાં તણાવ વધી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે કોઈ નિત્યક્રમ નથી, માતા-પિતા નોકરી ગુમાવી રહ્યા છે અને આર્થિંક સંકટ પણ છે. પરિવારમાં કોઈ સભ્યની બીમારી અથવા મૃત્યુ થવાથી બાળકોને પણ આઘાત લાગે છે.
મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકળાઈ ગયું છે ભણવું તો પણ મોબાઈલ અને રમવું તો પણ મોબાઈલ ત્યારે બાળકને સ્ક્રીનની દુનિયા માંથી બહાર કાઢવું જરૂરી છે..