કોરોના વાયરસની ભારતમાં આધિકારિક એન્ટ્રી થઈ ગઈ છે અને લેટેસ્ટ માહિતી પ્રમાણે તેના હાલમાં 6 કેસ નોંધાયા છે પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે તેને લઈને નિવેદન આપ્યું જેમઆ કહેવાયું છે કે હાલમાં આ નવા સ્ટ્રેઇનને લઈને લોકોને ગભરાવવાની જરૂર નથી.
આરોગે મંત્રાલયે કહ્યું,' વેક્સિન નવા સ્ટ્રેઇન પર પણ અસર કરશે'
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેઇન મળી આવતા લોકોમાં ગભરાટ
હાલમાં દેશમાં કોરોનાના કેસોની સરેરાશ ઘટીને 17000ની આસપાસ થઈ ગઈ
કોરોનાની નવી સ્ટ્રેઇનને લઈને આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ નવા સ્ટ્રેઇનથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી અને સાથે જ એમ પણ જણાવ્યું છે કે વેક્સિન આ નવા સ્ટ્રેઇન પર પણ અસરકારક રહેશે.
વેક્સિન નવા સ્ટ્રેઇન સામે પણ અસરકારક રહેશે: વિજય રાઘવન
સરકારના પ્રિન્સિપલ સાઇન્ટિફિક એડવાઈજર વિજય રાઘવને એક પ્રેસ કૉંફરેન્સમાં કહ્યું છે કે વેક્સિન દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાંથી મળેલા નવા સ્ટ્રેઇન સામે પણ અસરકારક રહેશે, તેના બિનઅસરકારક રહેવાના હજુ સુધી કોઈ સાક્ષ્ય મળ્યા નથી. સાથે જ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે અમારી પ્રયોગશાળાઓમાં લગભગ 5000 જેટલા જીનોમ વિકસિત કરવામાં આવ્યા છે અને હવે તે સંખ્યામાં અમે ઘણી વૃદ્ધિ કરીશું.
આ સાથે જ નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલે જણાવ્યું હતું કે આ નવા સ્ટ્રેઇને ઘણા દેશોની યાત્રા કરી છે માટે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વાયરસના પ્રસારને દબાવવું આસાન છે કેમ કે તેની ટ્રાન્સમિશન ચેઇન નાની છે.
દેશમાં રસીકરણને લઈને ચાલી રહી છે તૈયારીઓ
મહત્વનું છે કે ભારતમાં હાલમાં વેક્સિનેશનની તૈયારીઓ ખૂબ જ મોટાપાયે ચાલી રહી છે ત્યારે આ નવા સ્ટ્રેઇનને લઈને કેસ સામે આવતા સરકાર તરફથી આ પ્રકારના નિવેદનો સામે આવ્યા હતા. મહત્વનું છે કે હાલમાં દેશમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે અને તેની દૈનિક સરેરાશ ઘટીને હવે 17000 જેટલી રહી ગઈ છે.