કહ્યું કે દ્રૌપદી મુર્મૂ આઝાદી બાદ પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ
આઝાદીના ચળવૈયા હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિના અવસરે લખનઉના એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આપણી લોકશાહી માટે ખાસ દિવસ છે કારણ કે નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ પહેલી વાર એક આદિવાસી સમાજના મહિલા આપણા દેશની આગેવાની કરી રહ્યાં છે.
Today is a very big day for our democracy as the new President has been sworn in. For the first time after independence, a woman from tribal community is going to lead our country: PM Modi addressing a programme marking the 10th death anniversary of late Harmohan Singh Yadav pic.twitter.com/U2npQvzoBL
Today is a very big day for our democracy as the new President has been sworn in. For the first time after independence, a woman from tribal community is going to lead our country: PM Modi addressing a programme marking the 10th death anniversary of late Harmohan Singh Yadav pic.twitter.com/U2npQvzoBL
વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ
પીએમ મોદીએ કહ્યું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશને કારણે છે. આપણા દેશના મોટાભાગના પક્ષો ખાસ કરીને તમામ બિનકોંગ્રેસી પક્ષોએ આ વિચારને દેશ માટે સહકાર અને સંકલનના આદર્શ તરીકે અનુસર્યો છે.
हमारे यहां देश और समाज के हित विचारधाराओं से बड़े रहे हैं। हालांकि हाल के दिनों में विचारधारा को समाज और देश के हित से भी ऊपर रखने का चलन शुरू हो गया है। कई बार तो सरकार के कामों में विपक्ष के लोग बस इसलिए अड़ंगा लगाते हैं क्योंकि जब वो सत्ता में थे...: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/h2qA0AgC9i
ઈમરજન્સી વખતે બધા પક્ષો ભેગા મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા
મોદીએ એવું કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે તમામ મુખ્ય પક્ષો સરકાર સાથે ઉભા હતા. જ્યારે દેશે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે પણ તમામ મુખ્ય પક્ષો સરકારની સાથે ઉભા હતા. પરંતુ જ્યારે ઈમરજન્સી દરમિયાન દેશની લોકશાહીને કચડી નાખવામાં આવી હતી, ત્યારે આપણે બધાએ સાથે મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા.
व्यक्ति से बड़ा दल, दल से बड़ा देश क्योंकि दलों का अस्तित्व लोकतंत्र की वजह से और लोकतंत्र का अस्तित्व देश की वजह से है। हमारे देश में अधिकांश पार्टियों ने विशेषरूप से सभी गैर कांग्रेसी दलों ने इस विचार को देश के लिए सहयोग और समन्वय के आदर्श को निभाया है:प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/3JK1gEF4PD
પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય તે જોવાની બધા રાજકીય પક્ષોની ફરજ
કાર્યક્રમમાં આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે અહીં આપણી વિચારધારાઓ કરતાં દેશ અને સમાજનું હિત મોટું છે. જો કે હાલના સમયમાં સમાજ અને દેશના હિતથી વિચારધારાને ઉપર રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય. રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે છે પરંતુ દેશ ટોચ પર છે.