રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં ઈલોજી દેવતાની ઘણી માન્યતા છે. અહીં કુંવારા યુવકો મોટી સંખ્યામાં ઈલોજી દેવતાની પૂજા કરે છે. ઈલોજી દેવતાનો સંબંધ હિરણકશ્યપના પુત્ર અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદના ઘરથી બતાવવામાં આવે છે.
કુંવારા યુવકો ઈલોજી દેવતાની પૂજા કરે છે અને લગ્નનું વરદાન માંગે છે
ઈલોજી દેવતાની 5 વાર પ્રદક્ષિણા કરે છે તેના લગ્ન જલ્દી થઈ જાય છે
પોખરણમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે
Marriage Remedies: રાજસ્થાન સાંસ્કૃતિક વારસા અને અલગ જ રીતિ-રિવાજો માટે જાણીતું છે. અહીં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક એવી જ અલગ પરંપરા વિશે તમે જાણીલો, જેમાં હોળીના એક દિવસ પહેલા કુંવારા યુવકો ઈલોજી દેવતાની પૂજા કરે છે અને લગ્નનું વરદાન માંગે છે. કહેવામાં આવે છે કે જે પણ યુવક કુંવારાના દેવતા ઈલોજી પૂજા કરે છે તેના એક વર્ષમાં લગ્ન થઈ જાય છે. રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં ઈલોજી દેવતાની ઘણી માન્યતા છે. અહીં કુંવારા યુવકો મોટી સંખ્યામાં ઈલોજી દેવતાની પૂજા કરે છે. ઈલોજી દેવતાનો સંબંધ હિરણકશ્યપના પુત્ર અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદના ઘરથી બતાવવામાં આવે છે. આવો જાણીએ આ અનોખી પરંપરા અને તેની પૌરાણિક કથા વિશે.
જણાવી દઈએ કે જેસલમેરના પોખરણમાં લાલ કિલ્લા પર હોળીના એખ દિવસ પહલા ઈલોજી દેવતાની પૂજા કરવામાં આવે છે. કુંવારા છોકરાઓ પૂજામાં ઈલોજી દેવતા પાસે લગ્નનું વરદાન માંગે છે. કુંવાર યુવકો ઈલોજી દેવતાની મૂર્તિની પરિક્રમા કરે છે. પૂજામાં ગુલાલ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે છોકરો ઈલોજી દેવતાની 5 વાર પ્રદક્ષિણા કરે છે તેના લગ્ન જલ્દી થઈ જાય છે. પોખરણમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે.
ઈલોજી દેવતાની કથા
કિવદન્તી મુજબ, ઈલોજી દેવતા ભક્ત પ્રહલાદના કાકી હોલિકાના મંગેતર હતા. એક વખત જ્યારે હોલિકા પોતાના ભાઈ હિરણ્યકશ્યપ પાસે આવી અને તેનું દુ:ખ વિશે પૂછ્યું ત્યારે તેણે પ્રહલાદની હરિ ભક્તિ વિશે જણાવ્યું. ત્યારબાદ હોલિકાએ પ્રહલાદને મારવાનું નક્કી કર્યું. હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળી શકશે નહીં, તેથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેસી ગઈ. પણ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો.
કેમ થાય છે ઇલોજી ભગવાનની પૂજા ?
હોલિકાના મંગેતર ઈલોજી દેવતાએ જ્યારે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. ત્યારબાદ તેણે જિંદગીભર કુંવારા રહેવાનું નક્કી કર્યું. ત્યારથી સમયસર લગ્ન ન થતા હોય તેવા લોકો ઈલોજી દેવતાની પૂજા કરે છે અને લગ્ન માટે આશીર્વાદ માંગે છે.