પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના જુલમ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હવે પાકિસ્તાનના પેશાવરમાં એક શીખ યુવકે અજાણ્યા શખ્સની હત્યાનો મામલો સામે આવ્યો છે. ચમકાની પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી યુવકની લાશ મળી આવી છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના જુલમ વધ્યા
પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યા
તાજેતરમાં જ બની છે નનકાના સાહિબ પર પથ્થરમારાની ઘટના
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. એસ.એસ.પી. ઓપરેશન, પેશાવરે જણાવ્યું છે કે 25 વર્ષીય શીખ યુવક રવિંદસિંહની હત્યા અજાણ્યા શખ્સોએ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
તાજેતરમાં જ થયો નનકાના સાહિબ પર પથ્થરમારો
Pakistan Media: A Sikh youth has been killed by an unidentified person in Peshawar. The body was found in the area of Chamkani police station, today.
આપને જણાવી દઈએ કે શુક્રવારે એક ટોળાએ ગુરુદ્વારા નનકાના સાહિબ પર પથ્થરમારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરોધ પ્રદર્શન મોહમ્મદ હસનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કથિત રીતે નનકાના શહેરની એક શીખ યુવતીનું અપહરણ કરીને તેણીનું ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હતા. નનકાના સાહિબ ગુરુદ્વારાના ગ્રંથીએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને કેટલાક શખ્સોએ ગનપોઇન્ટ પર અપહરણ કરી હતી અને ત્યારબાદ બળજબરીથી લગ્ન કર્યાં હતાં.
ભાજપે નનકાના સાહિબ પર થયેલ પથ્થરમારાની ઘટનાને વખોડી
શુક્રવારે ભારતે પાકિસ્તાનના પવિત્ર નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલી તોડફોડની નિંદા કરી હતી અને પાડોશી દેશને ત્યાંના શીખની સલામતી માટે તાત્કાલિક પગલા ભરવાની હાકલ કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, 'ભારત આ પવિત્ર સ્થળે તોડફોડ અને અપમાનજનક કૃત્યોની નિંદા કરે છે.