જેલવાસ બાદ સૌરાષ્ટ્રના પ્રવાસ પર નીકળેલા અલ્પેશ કથીરિયા મોટા ખેલની ફિરાકમાં છે.
અલ્પેશ કથીરિયાના ફરી આંદોલનના સંકેત
માગ નહી સ્વીકારાય ત્યાં સુધી રહેશે આંદોલન
"યુવાનો પરના કેસ પર ખેંચવાની માગ"
જેલમાંથી 4 મહિને છૂટ્યા બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે.. આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ ફરી આંદોલનના સંકેત આપ્યા છે.... આંદોલનને લઈ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, પાટીદાર સમાજની માગ નહી સ્વીકારાય તો આંદોલન ચાલુ જ રહેશે... શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માગ કરી રહ્યું છે...
2022ની ચૂંટણી પહેલા આંદોલનના એંધાણ?
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં જેલમાંથી છૂટલા અને ગુજરાત અને ખાસ કરીને સુરતના પાટીદાર આંદોલનના મોટા નેતા અલ્પેશ કથીરિયા હાલ દેવ દર્શનના બહાને સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે.આજે સાળંગપુર અને ગઢડા મંદીરે દર્શન કર્યા બાદ થયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જો ન્યાય ન મળે તો આંદોલન ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું હતું .શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માગ કરી રહ્યો છે. ત્યારે આવનાર 2022ની ચૂંટણી પહેલા ફરી પાછું પાટીદાર આંદોલન ધમધમતું બને તો નવાઈ નહીં. કારણ કે હાર્દિક પટેલના કોંગ્રેસમાં ભળ્યા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનને પોતાના હાથમાં લઈ શકે છે. અને પોતાની સૂઝબૂઝથી આંદોલન માટેની તૈયારી આ પ્રવાસ દરમિયાન જ કરતાં હોય તેવું મનાઈ રહ્યું છે.
અલ્પેશ કથીરિયાએ ફરી આંદોલનના આપ્યા સંકેત
અલ્પેશ કથીરિયાએ આંદોલન વિશે પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું કે જ્યાં સુધી માગ નહી સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે,શહીદના પરિવારોને નોકરી અને યુવાનો પરના કેસ પરત ખેંચવાની મુખ્ય માગ સાથે ફરી આંદોલન થશે તેવા સંકેત આપી દીધા છે. આગળના સમયમાં ફરી પહેલાની જેમ મોટા પાયે પાટીદારો પોતાની માગને લઈને રસ્તા પર ઉતરે છે કે નહીં તે આવનાર સમયમાં જ ખબર પડશે.
પાટીદાર આંદોલન પાર્ટ-2
ગઈકાલે PAASના કથિરીયા અને SPGના લાલજી પટેલ વચ્ચે બેઠક પણ ચર્ચાનો વિષય બની છે.મહેસાણા ખાતે અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયા સહિતના પાસ આગેવાનો પહોંચ્યા હતા. જ્યાં SPGના લાલજી પટેલ સાથે પાટીદારોની બેઠક યોજાઈ હતી. સમગ્ર બેઠક આગામી સમયમાં યોજાનારા આંદોલન અંગે થઈ હતી. ગત રોજ લાલજી પટેલે કહ્યું હતું કે, 2004થી આંદોલન થઈ રહ્યું છે. અને પાટીદારોના નવા નવા સંગઠનો બન્યા હતા. પરંતુ આંદલનમાં તમામ લોકોએ એક થઈને લડ્યા હતા. ટૂંક સમયમાં પાટીદારો એકસાથે આવીને ફરી આંદોલનમાં ઉતરી રહ્યા હોવાનો દાવો કરાયો છે.
ભાજપ કોંગ્રેસનું ગણિત બગડશે AAPનું સુધરશે?
ફરી પાટીદાર અનામત આંદોલનની વાત થઈ રહી છે ત્યારે જો આંદોલન થાય તો તેનો સીધો ફાયદો AAPને પહોંચી શકે છે કારણ કે પાટીદારોને ભાજપ સિવાય જો અન્ય પક્ષને પસંદ કરે તો તેમ હવે AAP પહેલો વિકલ્પ હશે જ્યારે કોંગ્રેસ છેલ્લો. જેથી જો આંદોલન થાય તો AAP મજબૂત એન્ટ્રી ગુજરાતમાં પાક્કી છે.