દિવસ જાય તેમ આપઘાતના બનાવો વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્યુસાઇડ કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ncrbના રિપોર્ટમાં કેટલાક મહત્વના ખુલાસા થયા
દેશમાં આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા વર્ષ 2021માં
કેસમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધુ
NCRBના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
દેશમાં આત્મહત્યાને કારણે મોતના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં એનસીઆરબીમાં નવા રેકોર્ડ મુજબ વર્ષ 2021માં પ્રતિ 10 લાખ લોકોમાં 120 લોકોએ આત્મહત્યા કરી છે. જે છેલ્લા વર્ષની તુલનામાં 6.1 ટકાનો વધારો થયો છે. મોતના આ આંકડા છેલ્લા તમામ વર્ષોની તુલનાએ સૌથી વધુ છે. આ કેસોમાં સૌથી વધુ વધારો વિદ્યાર્થીઓ અને નાના ઉદ્યોગસાહસિકોમાં જોવા મળ્યો હતો. જે રિપોર્ટની 2020 આવૃત્તિમાં પણ જોવા મળ્યો હતો. આ તારણો ભારતમાં દુર્ઘટનાથી થનારા મોત અને આત્મહત્યા તથા ભારતમાં અપરાધની 2021ના રિપોર્ટમાંથી પ્રાપ્ત થયા છે. બંનેને કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ એનસીઆરબી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આત્મહત્યાના કેસમાં વધારો
મળતી માહિતી અનુસાર સામે આવ્યુ છે કે 2021માં આત્મહત્યાથી કુલ 164,033 લોકોએ જીવ ગુમાવ્યા જે 2020ની તુલનાએ 7.2 ટકા વધારે છે. વર્ષ 2020માં 153,052 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે 2019માં આ આંકડો લગભગ 139,000 હતો. આ ઉપરાંત, 10 લાખની વસ્તી દીઠ 120 મૃત્યુ થયા હતા. 2021માં પણ 1967માં આત્મહત્યાથી થતા મોત કરતા પણ વધુ દર જોવા મળ્યો. દેશમાં આત્મહત્યાનો બીજો સૌથી વધુ દર 2010માં નોંધાયો હતો. જ્યારે પ્રતિ મિલિયન વસ્તીએ 113 મૃત્યુ હતા. ડેટાએ પણ દર્શાવે છે કે સૌથી ઓછી આવક જૂથ (દર વર્ષે ₹1 લાખ કરતા ઓછી કમાણી કરતા લોકો) જે આત્મહત્યાના મૃત્યુમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે અને જે સૌથી વધુ છે.