કિશન ભરવાડ હત્યા કેસમાં દાવત-એ- ઈસ્લામી સંગઠનની સંડોવણી ખુલી છે. દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં થયો ખુલાસો
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે
મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં ખુલાસો
દાવત-એ- ઈસ્લામી સંગઠનની સંડોવણી હોવાનું આવ્યુ સામે
દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં આ સંગઠન મુદ્દે ખુલાસો થયો છે.કિશન ભરવાડ હત્યા કેસમાં દાવત-એ- ઈસ્લામી સંગઠનની સંડોવણી ખુલી છે કમર ગની ઉસ્માની આ સંગઠન સાથે જોડાયેલો છે.. જેનું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે.. દાવત-એ-ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવે છે.જેની આડમાં યુવાનોનું બ્રેઈનવોશ કરીને હિંસક બનાવવામાં આવે છે.
મૌલાના કમર ગનીનો મોટો ઘટસ્ફોટ
6 મહિનાથી કમર ગનીએ ગુજરાતના અલગ અલગ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં ભારત વિરોધી એજન્ડા પર કામ કરી રહ્યો હતો. ત્રિપુરામાં થયેલી હિંસામાં પણ મૌલાના કમર ગનીની સંડોવણી ખુલી છે. મૌલાના કમર ગનીની UAPAના કાયદા હેઠળ ધરપકડ પણ થઈ હતી.
પાકિસ્તાની આતંકીઓ પણ સંપર્કમાં હોવાનું પૂછપરછમાં ખુલ્યું
ATS કમલેશ તિવારી હત્યા કેસમાં પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. મૌલાના કમર ગની પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.
કંગના રણૌતે પણ આપ્યું છે નિવેદન
ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટર કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
ધંધૂકાના સ્થાનિકોએ અશાંતધારાની કરી છે માગણી
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. સ્થાનિકોએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા.
એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ
ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.