FSL રિપોર્ટ બાદ પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો
અપહરણ બાદ બાળકીની લાશ મળી હતી
મોરબીમાં 7 વર્ષની બાળકીનો નજીક ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક બેગમાં બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહને FSLમાં મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ બાદ પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કરાયો છે. અપહરણ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ FSLની મદદ લેવામાં આવી હતી. અને રિપોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી.
સિરામીક ફેક્ટરીમાં શ્રમિક માતા-પિતાની બાળકીનો મૃતદેહ મળ્યા બાદથી પોલીસ હત્યા અને દુષ્કર્મના આરોપીને ઝડપવા માટે સક્રિય બની છે. જોવામાં આવે તો શહેરો અને ગ્રામિણ વિસ્તારમાંથી પણ 15 વર્ષ સુધીની બાળકીઓના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષની એક બાળકીને લલચાવી અને તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કરનાર વ્યક્તિ પોતે 20 વર્ષના એક દિકરાનો પિતા છે. પોતાનાથી ઉમરમાં ત્રણ ગણી નાની બાળકીનું અપહરણ કરનાર દાનવની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પત્નીની જેમ બાળકીને પોતાની સાથે રાખતો હતો
12 વર્ષની અપહ્યત બાળકીને પોતાની સાથે લઈ જઈ પત્નીની જેમ રાખવા લાગ્યો હતો. અપહરણની ઘટનાના સાડા ત્રણ મહિના બાદ પોલીસે આરોપીની બારેજા નજીકથી ધરપકડ કરી હતી. તળાવના કિનારે બાળકી સાથે હાજર વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
ભાણીના ઘરના પડોશમાં રહેતી બાળકીનું કર્યું હતું અપહરણ
20 વર્ષના દિકરાનો પિતા અને આરોપી અવાર-નવાર પોતાની ભાણીના ઘરે જતો હતો. જેના પડોશમાં રહેતી બાળકીને લલચાવી પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ પોલીસે બાળકીની તપાસ શરૂ કરી દીધી હતી. નારોલ પોલીસે આરોપી મનુ ચુનારા(ઉ.વ.40) ની ધરપકડ કરી તપાસ કરનાર એસટી એસસી સેલને સોંપ્યો છે.