ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં લગ્ન બાદ હનીમૂન દરમિયાન પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. સવારે બંનેના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. આ પછી પરિવારમાં હાહાકાર મચી ગયો હતો.
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની
લગ્ન બાદ હનીમૂન દરિમાયન પતિ-પત્નીના આકસાથે મોત
સવારે બંનેના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવતા હડકંપ
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લગ્ન બાદ હનીમૂન દરમિયાન પતિ-પત્નીના મોત થયા હતા. સવારે બંનેના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. આ પછી પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બંનેને ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બહરાઈચ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ પ્રતાપ અને પુષ્પાના લગ્ન યુપીના બહરાઈચમાં થયા હતા અને બંનેના તેમના હનીમૂન દરમિયાન મૃત્યુ થયા હતા. બંનેના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. હનીમૂનના દિવસે પતિ-પત્નીના શંકાસ્પદ મોત છતાં પરિવારજનો પોસ્ટમોર્ટમ કરવા માંગતા ન હતા. જોકે, પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ આખરે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસમાં આવી ગયા છે અને હવે આ મોત મામલે પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ સામે આવશે. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે જ્યાં લાશ પડી હતી ત્યાં ઉલ્ટી થઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગનો મામલો હોવાનું જણાય છે. જોકે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
પતિ-પત્ની રૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા
કૈસરગંજ કોતવાલી વિસ્તારના ગોધિયા નંબર ચારમાં રહેતા પ્રતાપ (23)ના લગ્ન 30 મેના રોજ ગુલ્લાનપુરવા ગામની રહેવાસી પુષ્પા સાથે નક્કી થયા હતા. 30 મેના રોજ વરઘોડો ચાર નંબરના ગોદહિયા ખાતે નીકળ્યો હતો. 31 મેના રોજ સરઘસ હાસ્ય અને ખુશી સાથે ગામમાં પહોંચ્યું. પતિ-પત્ની રાત્રે તેમના ગામ પહોંચ્યા. નવદંપતીએ મોડી રાત્રે પોતાના રૂમને તાળું મારી દીધું હતું. ગુરુવારે સવારે રૂમમાંથી કોઈ બહાર ન આવતાં પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા. બધાએ એકસાથે દરવાજો ખોલ્યો. અહીં રૂમમાં પુષ્પા અને પ્રતાપ બેભાન અવસ્થામાં પડ્યા હતા. બંનેના મોતની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. છોકરા પક્ષના લોકોએ છોકરી પક્ષના લોકોને જાણ કરી. બંનેના પરિવારજનો ભેગા થયા. આ બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના પગલે બંને પરિવાર પર આભ તુટી પડ્યું હતુ. હાલમાં બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.