શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની લાલચ સાબરકાંઠાના પ્રાંતિજના ખેડૂતને 18 લાખમાં પડી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે ફરિયાદ ઉઠતા પોલીસ પણ ચોંકી ગઈ છે.હાલ તો હિંમતનગર સાયબર પોલીસ મથકે જાણ ખેડૂતે કરી દિધી છે. જેથી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
સાબરકાંઠાના પ્રાંતિજના ખેડૂત સાથે છેતરપિંડી
લોભામણી જાહેરાતથી ખેડૂત છેતરાયો
શેરબજારમાં રોકાણ કરી સારા વળતરના પગલે 18 લાખની છેતરપિંડી
પ્રાંતિજના ખેડૂતને લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરવામાં આવી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સાંબરકાંઠા પ્રાંતિજના એક ખેડૂત સાથે છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતને શેર બજારના નામે લોભામણી જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ખેડૂતને સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક એકાઉન્ટ ઉપર એક લોભામણી જાહેરાત આપી હતી. આ જોઈ ખેડૂતે શેરબજારમાં રોકાણ કરી સારા વળતર મેળવવાની લાલચ જાગી હતી અને રૂપિયા 18 લાખ ગુગલ પે અને પેટીએમ મારફત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યુ હતુ. આજથી ચાર મહિના પહેલા આ કિસ્સો બન્યો હતો.
હિંમતનગર સાયબર પોલીસ મથકે કરાઈ ફરિયાદ
પ્રાતિંજના ખેડૂતે રૂપિયા ૧૮ લાખ ગુગલ પે અને પેટીએમ મારફત ટ્રાન્સફર કર્યા બાદ ચાર મહિનામાં એક પણ વખત સારૂ વળતર તો ઠીક પરંતુ એક રૂપિયો પણ કમાઈને આપવામાં આવ્યો ન હોવાથી ખેડૂતને ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે. અને મોડે મોડે પણ ચાર મહિના બાદ હિંમતનગર સાયબર પોલીસ મથકે જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની આપી હતી લાલચ
આજના યુગમાં સારા વળતરની વહાયમાં અનેક લોકો શેરબજારમા રોકાણ તરફ વળતા હોય છે પરિણામે આધુરા જ્ઞાનને લીધે છેતરામણિનો પણ ભોગ બનતા હોય છે ત્યારે એવુ જ આ બનાસકાંઠાના પ્રાંતિજના ખેડૂતો સાથે પણ બન્યું છે જેમાં તેમના લાખો રૂપિયા ચવાઈ ગયા છે. કેમકે ખેડૂતને શેરબજારમાં રોકાણ કરી મોટી અને સારા વળતરની લાલચ આપી સપના દેખાડવામાં આવ્યા હતા.