બિહારમાં નીતિશ કુમારની સરકાર બની ત્યારથી મુખ્ય વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ RJD તેમની પર સતત આક્રમક છે. રવિવારે RJD એ ફરી એકવાર મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે તમારા બધા જ નવરત્નો ગુનાઇત પૃષ્ઠભૂમિ અને ભ્રષ્ટાચારી જ કેમ છે? અને તમારા મંત્રીઓને ભ્રષ્ટાચાર મોટી વાત કેમ નથી લાગતી?
બિહારમાં RJD નીતિશ કુમાર પર આક્રમક છે
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને નીતિશને પૂછ્યો સવાલ
શિક્ષણ મંત્રી અશોક ચૌધરીની પત્ની પર મૂક્યો આરોપ
RJD નેતા તેજસ્વી યાદવે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર ના મુકુટમણિ, JD(U) ના કાર્યકારી પ્રમુખ અને મંત્રી અશોક ચૌધરીની પત્ની પર બેંકમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
RJD એ ટ્વિટની સાથે એક વિડીયો શેર કર્યો હતો
RJD નેતાએ પોતાના ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અશોક ચૌધરી કહેતા જોવા મળ્યા હતા કે હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો હતો અને સુપ્રીમ કોર્ટમાં તેમના પક્ષને સાંભળવામાં આવ્યો નથી , જ્યારે તારીખ આવશે ત્યારે તે પોતાનો પક્ષ રાખશે, આમાં મોટી શું મોટી વાત છે?
साहित्यिक चोरी के दोषी मुख्यमंत्री माननीय नीतीश जी के मुकुट मणि,JDU के कार्यकारी अध्यक्ष और मंत्री श्री अशोक चौधरी की पत्नी पर बैंक से करोड़ों की धोखाधड़ी और जालसाजी का आरोप है,CBI जाँच कर रही है, कोर्ट में केस है।
જોકે તેજસ્વી યાદવ એ કહ્યું કે તેમની ઇમાનદારી જુઓ. એવું કહી રહ્યા છે કે પત્નીનો ભ્રષ્ટાચાર કોઈ મોટી વાત નથી!, પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી RJD એ સવાલ કર્યો હતો કે નીતિશ કુમાર ના નવરત્નમાં શા માટે બધા જ ગુનેગારો અને ભ્રષ્ટ છે? RJD એ કહ્યું કે જો તેમના મંત્રીઓ કરોડોના ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો પૂછો તો તેઓ કહે છે કે ભ્રષ્ટાચાર એ કોઈ મોટી વાત નથી.
નીતિશ કુમારે નકારાત્મકતાને સ્વીકારી છે : RJD
નોંધપાત્ર વાત એ છે કે એક દિવસ અગાઉ તેજસ્વી યાદવ એ નીતિશ કુમાર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે CM નીતિશના વડપણ હેઠળની સરકારના 14 માંથી 8 મંત્રીઓ સામે ગંભીર ગુનાઇત કેસ છે. માટે ખબરદાર જો કોઈ નૈતિકતા, સુશાસન અને સ્થાનિક શાસન વિશે વાત કરે છે તો ચેતી જજો. તેમણે કહ્યું હતું કે પરિવર્તનના જનાદેશની વિરુદ્ધ નીતિશ કુમાર જીએ અનૈતિક સરકાર બનાવતાની સાથે જ રોજી - રોટી જેવા સકારાત્મક મુદ્દાઓને છોડીને નકારાત્મકતાને સ્વીકારી લીધી છે.