નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિકે ભારપૂર્વક કહ્યું, અમે ચોક્કસ સમય અને તારીખની આગાહી કરી શકતા નથી, પરંતુ ઉત્તરાખંડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે
ઉત્તરાખંડમાં તુર્કીયે જેવા હાલ થવાનો ડર
NGRI મુખ્ય વૈજ્ઞાનિકે આપી ભૂકંપની ચેતવણી
તુર્કીયેની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડમાં પણ આવી શકે
તુર્કીયેમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. લાખો લોકો બેઘર બન્યા અને લગભગ એટલા જ લોકો ઘાયલ થયા હતા. આ તરફ છેલ્લા ઘણા દિવસોથી ત્યાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે. આ બધાની વચ્ચે ભારતના નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિકે ઉત્તરાખંડમાં પણ તુર્કીયે જેવા ભૂકંપની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, તુર્કીયેની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડમાં પણ આવી શકે છે. આ તરફ ભૂકંપની ચેતવણીને પગલે હવે ટુર ઓપરેટરોનેએ પેકેજ રદ્દ કરવાના ફોનની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે.
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.એન.પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણો તણાવ ઊભો થઈ રહ્યો છે અને તણાવને દૂર કરવા માટે ભૂકંપ જરૂરી બની જાય છે. જોકે તેમણે કહ્યું કે, ભૂકંપની તારીખ અને સમયની આગાહી કરી શકાતી નથી.
હલી રહ્યા છે GPS પોઈન્ટ
આ સાથે તેમણે કહ્યું કે, અમે ઉત્તરાખંડ પર કેન્દ્રિત હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 સિસ્મિક સ્ટેશનો સ્થાપિત કર્યા છે. અમે વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા ડેટા દર્શાવે છે કે. તણાવ ઘણા સમયથી એકઠા થઈ રહ્યો છે. અમારી પાસે આ વિસ્તારમાં GPS નેટવર્ક છે. જીપીએસ પોઈન્ટ હલી રહ્યા છે, જે સપાટીની નીચે ફેરફારો સૂચવે છે.
We've a strong network of 18 seismograph stations in Uttarakhand. The region referred to as the seismic gap between Himachal & western part of Nepal incl Uttarakhand is prone to earthquakes that might occur at any time: Dr N Purnachandra Rao, Chief Scientist & Seismologist, NGRI pic.twitter.com/N2xU1jZ53U
ઉત્તરાખંડમાં આવી શકે ભારે ભૂકંપ
ડો.રાવે જણાવ્યું હતું કે, પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે નક્કી કરવા માટે વેરિઓમેટ્રિક જીપીએસ ડેટા પ્રોસેસિંગ એ એક વિશ્વસનીય પદ્ધતિ છે. રાવે ભારપૂર્વક કહ્યું, અમે ચોક્કસ સમય અને તારીખની આગાહી કરી શકતા નથી, પરંતુ ઉત્તરાખંડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. તમને જણાવી દઈએ કે, રિઓમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં વિવિધતાને માપે છે. 8 અને તેનાથી વધુની તીવ્રતાના ધરતીકંપોને "મહાન ધરતીકંપ" કહેવામાં આવે છે.
8 થી વધુની તીવ્રતા સાથેનો ભૂકંપ
આ સાથે તેમણે કહ્યું કે, હિમાલયના ક્ષેત્રમાં 8થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે. આ વિસ્તાર જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે."નુકસાન વસ્તીની ગીચતા, ઇમારતોની ગુણવત્તા, પર્વતો અથવા મેદાનો પરના બાંધકામ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે, અમે માનીએ છીએ કે, ભૂકંપની તીવ્રતા તુર્કીયેના સમાન અથવા તેના કરતા વધુ હશે.
ભૂકંપની ચેતવણીને પગલે લોકો અવઢવમાં મુકાયા
આ તરફ ભૂકંપની ચેતવણીને પગલે હવે ટુર ઓપરેટરોનેએ પેકેજ રદ્દ કરવાના ફોનની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે. નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.એન.પૂર્ણચંદ્ર રાવની ચેતવણી બાદ હવે ટ્રેન-ફ્લાઇટનું બુકિંગ કરવું કે નહિ તેને લઈ શ્રદ્ધાળુઓ અવઢવમાં મુકાયા છે.
નોંધનીય છે કે, ચાર ધામની યાત્રાને લઈ ભક્તોની સુવિધા માટે યાત્રા શરૂ થવાના બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, એપ્રિલ મહિનામાં ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જે અંતર્ગત 25મી એપ્રિલે કેદારનાથ ધામ અને 27 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આજથી જ ભક્તો પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગત વર્ષે ચાર ધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.