ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ ઘટના બાદ ICMRની આખી બિલ્ડિંગને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. મુંબઈના આ વૈજ્ઞાનિક થોડા દિવસ પહેલાં દિલ્હી આવ્યા હતા અને રવિવારે સવારે તેમનામાં સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું.
ICMRના વૈજ્ઞાનિક પણ બન્યા કોરોનાનો શિકાર
મુંબઈથી દિલ્હી આવેલા વૈજ્ઞાનિક બન્યા કોરોનાનો શિકાર
રવિવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
વૈજ્ઞાનિકો આઈસીએમઆર મુંબઈની રાષ્ટ્રીય પ્રજનન સ્વાસ્થ્ય સંશોધન સંસ્થાના છે. સૂત્રએ જણાવ્યું હતું કે આઇસીએમઆર બિલ્ડિંગ સંક્રમણ મુક્ત થઈ રહી છે અને બે દિવસ માટે તેને ધુમાડાથી સફાઈ (ફ્યૂમિગેશન) કરવામાં આવશે. ગયા અઠવાડિયે વૈજ્ઞાનિકોએ એક બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર પ્રશાસનની તરફથી કર્મચારીઓને એક સંદેશ મોકલીને તેમના ઘરેથી કામ કરવાની અપીલ કરી છે. ICMR મુખ્યાલયને સંક્રમણ મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. સંદેશમાં કહેવાયું છે કે ફક્ત કોવિડ 19ની મુખ્ય ટીમ આવી શકે છે અને સાથે જરૂરી છે. અન્ય લોકોને ઘરેથી કામ કરવાની પરમિશન આપવામાં આવી છે.