ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે AAP પર મોટો હુમલો કર્યો છે. યોગી આદિત્યનાથે આપ ઉપર પ્રહાર કરી તેમને આતંકવાદના સાચા સમર્થક ગણાવ્યા છે. સીએમ યોગીએ સેનાની બહાદુરીનો પુરાવો માંગનારાઓ પર પણ નિશાન સાધ્યું છે. જોકે AAP નેતા અને સાંસદ સંજય સિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ હારી રહી છે. સીએમ અરવિંદ કેજરીવાલે પણ મુખ્યમંત્રી યોગીને જવાબ આપ્યો છે.
કેજરીવાલને લઈ સીએમ યોગીએ શું કહ્યું ?
યોગી આદિત્યનાથે જનસભાને સંબોધતા કહ્યું કે, દિલ્હીથી આવેલો નમૂનો આતંકવાદનો સાચો સમર્થક છે. તે અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે અને જ્યારે ભારતીય સેના પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે તે ભારતના બહાદુર સૈનિકોને કહે છે કે આનો પુરાવો શું છે? વધુમાં કહ્યું કે, પાકિસ્તાન બૂમો પાડી રહ્યું છે કે ભારતના સૈનિકોએ અમારી કમર તોડી નાખી છે, પરંતુ આમ આદમી પાર્ટીને આના પુરાવાની પણ જરૂર છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમના જીન્સનો ભાગ છે. તેથી જ ભ્રષ્ટાચારી, આતંકવાદના સમર્થકોને મત આપીને તમારા મતને કલંકિત ન કરો.
यह जो आम आदमी पार्टी का नमूना आया है न दिल्ली से, यह तो आतंकवाद का सच्चा हितैषी है... pic.twitter.com/6iehVBaFDR
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, જો તમારે ગંદી ગાળો, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, ગંદી રાજનીતિ જોઈતી હોય તો તેમને મત આપો. જો તમારે શાળા, હોસ્પિટલ, વીજળી, પાણી, રસ્તા જોઈએ છે તો મને મત આપો.
अगर गंदी गाली गलौज चाहिए, गुंडागर्दी चाहिए, भ्रष्टाचार चाहिए, गंदी राजनीति चाहिए तो इनको वोट दे देना। अगर स्कूल, अस्पताल, बिजली, पानी, सड़कें चाहिए तो मुझे वोट दे देना। https://t.co/kNtrOR2azB
AAP સાંસદ સંજય સિંહે ટ્વીટ કર્યું કે, હવે પહાડની નીચે ઊંટ આવી ગયું છે, બીજેપીએ અરવિંદ કેજરીવાલનું નામ ન લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ બાબાજી માન્યા નહીં. એટલે કે ભાજપ ગુજરાતમાં હારી રહ્યું છે.
अब आया ऊँट पहाड़ के नीचे भाजपाईयों ने बहुत कोशिश की @ArvindKejriwal का नाम न लें लेकिन बाबा जी माने नही।
मतलब BJP हार रही है गुजरात। https://t.co/okuonn3c4J
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે.