જૂનાગઢમાં વહેલી સવારે નિવૃત PIએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.ખાનગી રિવોલ્વરથી PI કે.એ. ઓડેદરાએ પોતાના નિવાસ્થાને આપઘાત કર્યો છે.આપઘાત પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે આજે વહેલી સવારે પોતાના જૂનાગઢ ખાતે આવેલ ઘરે નિવૃત્ત પોલીસ ઇન્સપેક્ટરે પોતાની જ રિવોલ્વર કપાળમાં રાખીને ગોળી મારતા ઘટના સ્થળે જ તેઓ ઢળી પડ્યા પડ્યા હતા.
રિવોલ્વરના અવાજ સાંભળી પરિવારજનો દોડી આવતા નિવૃત PI મૃત હાલતમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ નજીકના પોલીસ મથકે કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે આ નિવૃત્ત પોલીસ અધિકારીની આત્મહત્યા પાછળનું કારણ અકળ છે.