ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં ચોંકાવનારા તારણો સામે આવતા હાઇકમાન્ડની ઊંઘ ઊડી ગઈ છે.
AICC દ્વારા ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિએ રિપોર્ટ કર્યો તૈયાર
રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો આવ્યા સામે
AICC અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ
ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. આ મામલે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. AICC રચિત ફે્ક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ તૈયાર કરેલ અહેવાલમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટેઅમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ પાંચ સ્થળોએ બેઠક કરી હતી. જેમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો સમાવેશ કરાયો હતો.જેમાં જણાવ્યા અનુસાર AICC અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું ઉઘાડું પાડ્યું છે. તો ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ પણ જોઈએ તેટલું સંકલન સંધાયું ન હોવાનું સામે આવ્યું છે. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું બહાર આવ્યું છે.
ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસે ઢીલી નિતિ દાખવી
રિપોર્ટમાં બહાર આવેલ વિગત મુજબ ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસે ઢીલી નિતિ દાખવી હોવાનું પણ કારણભૂત માનવામા આવી રહ્યું છે. રિપોર્ટમાં એવું પણ જણાયું છે કે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સામે પક્ષે ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ પણ ઉમેદવારો સુધી મોડા પહોચ્યા હતા અને AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી પણ કારણભૂત માનવામાં આવી રહી છે. તપાસ કમિટીના રીપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે ચુંટણી ફંડની વહેચણીમાં કોંગ્રેસ દ્વારા વ્હાલા દવાલાની નિતિ દાખવામા આવી છે.
ફંડમાં વ્હાલા દવાલાની નિતિ
જાણવા મળતી વિગત અનુસાર કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જ ફંડ મળ્યું હતું. જેના પરિણામે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ ઠાલવ્યો છે. એક કારણ એવું પણ બહાર આવ્યું છે કે ચુંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પહોચ્યુ ન હોવાથી ઉમેદવારના મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો મળ્યા ન હતી. પરિણામે જીતનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો. એવુ પણ બહાર આવ્યું છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ અને ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જ રહી છે અને કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપુર્ણ નિષ્ફળ નીવડી છે.કારમી હારનું એ પણ પરિણામ છે કે એઆઇસીસી દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ થતા જ હતા.
રિપોર્ટ બાદ કોંગ્રેસ પ્રવક્તા ડો મનિષ દોશીનું નિવેદન
વિધાનસભામાં કોંગ્રેસની હાર પરના રિપોર્ટ પર મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી કારમો પરાજ્ય થયો છે. જેથી AICC દ્વારા આંતરિક કામગીરી પર મુલ્યાકન કર્યું છે. સમિતિ દ્વારા અહેવાલ તૈયાર કરી હાઇ કમાન્ડ સોંપ્યો છે.જેને લઈને હવે AICC દ્વારા નવી સુચના બાદ આગામી કાર્યવાહી કરાશે. તેમણે કહ્યુ કે કે હાલ રીપોર્ટ અંગે જાહેર ચર્ચા કરવાનો વિષય નથી અને જે પણ ભુલ થઇ છે તે અંગે ચર્ચા થઇ છે.