ભારતમાં સંતો મહંતો દ્વારા થતા બળાત્કાર અને અનૈતિક સબંધોની વાત હવે સાવ સામાન્ય બની ગઈ છે. દેશભરમાં હાહાકાર મચાવનારા સંતો બાદ હવે ગુજરાતમાં પણ આવી જ એક ઘટના બનાસકાંઠાના અંબાજી મથકમાં સામે આવી છે.
અંબાજી સ્થિત ભાગવત કથાકાર બાલ સંત ગોપાલદાસ પર તેમના જ સગા ભાઈએ તેમની દિકરી સાથે અનૈતિક સબંધો હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
પિતાએ 4 વર્ષ અગાઉ પોતાની દિકરીને ભાઈના આશ્રમમાં મુકી હતી. જોકે 4 વર્ષ બાદ પિતા પોતાની દિકરી પાછી લેવામાં માટે આશ્રમમાં આવ્યા તો સંત ગોપાલદાસ તેમની દિકરી પાછી આપવાનો ઈન્કાર કરી રહ્યા હોવાનો આરોપ તેમણે સ્થાનીક પોલીસ મથકમાં નોંધાવ્યો છે.
હાલ તો પિતાની ફરિયાદને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસે આ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે. જોકે જે દિકરી પર પિતાએ ગંભીર આરોપ પોતાના ભાઈને ટાંચમાં રાખીને લગાવ્યા છે. તે દિકરીનું કહેવું છે કે મારા પિતા મને બદ-ઈરાદે અહીથી લઈ જવા માગે છે અને બજારમાં વહેચી પણ શકે છે.
તેઓ મને ઘરમાં માર મારે છે. અને મંદિરની સેવાથી તે ખુશ છે સંત ગોપાલદાસને તે પિતા સમાન માને છે. હાલ તો દિકરી પોતાના પિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી રહી છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં સાચી હકીકત શું સામે આવે છે.