કાચા ખાવાના ફાયદા તો ઘણા છે. કાચુ ફૂડ ખાવાથી વજન પણ ઘટે છે કેમકે તેમા કેલરી, ફેટ અને સોડિયમ ઓછુ અને ફાઇબર વધુ હોય છે. પણ કાચા ભોજનને ડાયેટમાં સામેલ કરવાની વિપરિત અસરો અંગે પણ જાણવુ જરુરી છે.
પોતાના ડાયેટમાં માત્ર કાચો ખોરાક સામેલ કરવો હાલમાં એક ફેશન બની ગઇ છે. કાચા ખાવાના ફાયદા તો ઘણા છે. તેમાં વધુ પોષક તત્વો મળે છે અને શરીર ડિટોક્સ પણ છાય છે, એલર્જી દુર થાય છે, રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, યાદશક્તિ વધે છે અને ડાયાબીટીસનું જોખમ પણ ઓછુ થાય છે. કાચા ભોજનથી વજન પણ ઘટે છે કેમકે તેમા કેલરી, ફેટ અને સોડિયમ ઓછુ અને ફાઇબર વધુ હોય છે. કાચુ ફુડ આપણી પેકેટ ફુડ પરની નિર્ભરતા ઘટાડે છે. આપણે બ્રેડ, પ્રોસેસ્ડ અનાજ, ચિપ્સ, પનીર, રિફાઇન્ડ તેલ જેવા નુકશાનકારક ભોજનથી દુર રહી શકીએ છીએ. આમ છતાં પણ કાચા ભોજનને ડાયેટમાં સામેલ કરવાની વિપરિત અસરો અંગે પણ જાણવુ જરુરી છે.
કાચા આહાર પર નિર્ભર રહેનારા લોકો માટે સૌથી મોટો પડકાર એ છે કે તેમને પર્યાપ્ત પ્રોટીન, વિટામીન બી12 અને આયર્ન મળી શકતુ નથી. આ પોષકતત્વો એ ખાદ્યપદાર્થોમાં આવે છે જે કાચુ ખાઇ શકાય તેમ નથી. જેમાં બિન્સ, સાબુત અનાજ અને હળવુ પ્રોટીન સામેલ છે. તેને પુરુ કરવા માટે ઘણા વિટામીન સપ્લીમેન્ટ્સ લેવા પડે છે.
કાચુ બધુ સારુ નહીં
સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે જમવાનુ બનાવીએ છીએ ત્યારે તેના પોષક તત્વો અને પ્રાકૃતિક એન્ઝાઇમ નષ્ટ થઇ જાય છે. આ ધારણા આંશિક રીતે સાચી છે. કેટલાક વિટામીન તો એવા છે કે તે ત્યારે જ સક્રિય થાય છે જ્યારે શાકભાજીને રાંધવામા આવે છે, પરંતુ કેટલાક એવા પણ છે જે કાચા રુપમાં પણ વધુ ઉપલબ્ધ હોય છે. પોષણથી ભરપુર પાલકમાં ઘણી માત્રામાં લ્યુટિન હોય છે અને તેને પકાવવાથી શરીરને તેનુ યોગ્ય રીતે શોષણ કરવામાં ફાયદો મળે છે.
ટામેટામાં રહેલુ લાઇકોપીન પણ ટામેટાને રાંઘતા વધુ સક્રિય થાય છે. કેટલાક શાકભાજી જેમકે ફ્લાવર, કોબીજ, બ્રોકલી, સરસોની ભાજી વગેરેમાં ગોઇટ્રોજન યોગિક હોય છે. તેને વધુ માત્રામાં ખાવાથી થાઇરોઇડ ફંકશન બ્લોક થઇ શકે છે. અને હાઇપોથાઇરાયડિઝમ વધી શકે છે, પરંતુ તેને રાંધીએ ત્યારે મળતી ગરમીના કારણે તે ડિએક્ટીવ થઇ જાય છે. એવા પણ સંશોધનો થયા છે કે રાંધ્યા બાદ મરચાં અને મશરુમના પોષકતત્વો વધી જાય છે. કેટલાક ખાદ્ય પદાર્થો પકાવ્યા બાદ વધુ સુપાચ્ય બને છે.
કાચુ કોના માટે જોખમી
જે લોકોનુ પાચનતંત્ર સંવેદનશીલ છે અથવા જે લોકો અલ્સરેટિવ કોલાઇટિસ જેવા આંતરડાના સોજાથી પિડાય છે. તેમણે ભોજનને પકવીને ખાવુ જોઇએ. કાચા ભોજનથી પાચનની સમસ્યા પણ થઇ શકે છે. ભોજનને પકવીને ખાવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો. જો તમે કાચુ ભોજન ખાવ છો તો તમારી રોગપ્રતિરોધક ક્ષમતા નબળી હોય તો તમને ફુડ પોઇઝનિંગનો ખતરો રહે છે.