દિવાળી પર ચાર ગ્રહો એટલે કે સુર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ પોતાની રાશિમાં રહેશે અને આ ગ્રહોનો સંયોગ સમૃદ્ધિમાં વધારો કરવાનો સંકેત આપે છે.
24મી ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે
છેલ્લા 2000 વર્ષમાં ગ્રહોની આવી સ્થિતિ આજ સુધી નથી બની
આ યોગથી આર્થિક મજબૂતી અને બિઝનેસમાં વધારો થશે
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે. ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસ ના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 અને 25 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવવામાં આવી રહી છે પણ 25 ઓક્ટોબરે અમાસની તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. 24 ઓક્ટોબરના રોજ પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. એટલા માટે આ વર્ષે 24મી ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
આર્થિક મજબૂતી અને બિઝનેસમાં વધારો થશે
લક્ષ્મી પૂજા ચિત્રા નક્ષત્રમાં થશે અને તેનો સ્વામી મંગળ છે. મંગળના કારણે પ્રોપર્ટી અને ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં તેજી આવવાનો યોગ છે. વેપારનો કારક બુધ પણ આ દિવસે ઉચ્ચ રાશિમાં રહેશે. આ સાથે આખું વર્ષ મોટા વ્યવહારો અને રોકાણ માટે શુભ રહેશે. ગુરુ અને શુક્રના કારણે ખરીદી કરવાથી સમૃદ્ધિ આવશે. જણાવી દઈએ કે દિવાળી પર ચાર ગ્રહો એટલે કે બુધ, ગુરુ, શુક્ર અને શનિ પોતાની રાશિમાં રહેશે અને આ ગ્રહોનો સંયોગ સમૃદ્ધિમાં વધારો કરવાનો સંકેત આપે છે. છેલ્લા 2000 વર્ષમાં ગ્રહોની આવી સ્થિતિ આજ સુધી નથી બની.
દેશ માટે શુભ ચાર ગ્રહોના યોગ
બુધની આગળની રાશિમાં સૂર્ય-શુક્ર રહેશે અને એ આર્થિક પ્રગતિનો યોગ બનાવે છે. શુક્ર અને બુધ ધંધાકીય અને આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. આ વિશેષ ધન યોગની અસરથી ભારતની વ્યાપારિક સ્થિતિ મજબૂત થશે અને એ સાથે જ મંદીનો અંત આવશે. સાથે જ આ યોગથી આઈટી ક્ષેત્રના બજારો વધશે. જણાવી દઈએ કે શનિની દ્રષ્ટિ ગુરુ પર રહેશે અને એટલા માટે જ દિવાળીના લગભગ ત્રણ મહિના પછી ચાંદીના ભાવમાં વધારો થશે. આ દિવાળી પર માલવ્ય, શશ, ગજરકેસરી, હર્ષ અને વિમલ નામનો રાજયોગ બને છે. આ યોગનું ફળ આખા વર્ષ સુધી જોવા મળશે.
અર્થવ્યવસ્થામાં સુધારો લાવનાર દિવાળી
દિવાળી પર બુધનું પોતાની રાશિમાં હોવું શુભ છે માનવામાં આવે છે અને આ બુધનર કારણે અર્થતંત્રમાં સુધારો થશે. અને કારણે જ દેશની અર્થવ્યવસ્થામાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. બુધ સાથે શનિ પણ પોતાની રાશિમાં જ રહેશે અને શનીને કારણે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
ગુરુથી શુભ કાર્યોમાં વિકાસ મળશે અને શિક્ષણ એમ જ ધાર્મિક વિવાદનો અંત આવવાની સંભાવના છે. દેશના અધિકારીઓની જવાબદારીઓ બદલાશે એટલા માટે અટકેલા કામો પૂર્ણ થશે. બુધની ઉન્નતિને કારણે શાકભાજી અને કઠોળના ભાવ નીચે આવશે.