અમદાવાદમાં ખાનગી શાળા સંચાલકોએ FRC સમક્ષ ફી વધારો કરવાની દરખાસ્ત મુકી કહ્યું શિક્ષકોને પગાર નથી ચુકવ્યો જેથી ત્રણ વર્ષ માટે સ્કૂલોએ ફી વધારાની માંગ કરી
સંચાલકોએ FRC સમક્ષ મુકી આવી માંગ
ખાનગી સ્કૂલ સંચાલકો હવે કરશે આ આ કામ
મહામારીમાં કેવી રીતે ફી ચુકવશે વાલીઓ ?
કોરોના મહામારીને કારણે અનેક ઉદ્યોગ ધંધાને આર્થિક નુક્સાન થયું છે જેમાં શિક્ષણ જગત પણ બાકાત રહી શક્યું નથી ત્યારે હવે ખાનગી શાળાના સંચાલકોએ ફી વધારાની માંગ કરી છે. કોરોના મહામારીમાં ખાનગી સ્કૂલો હવે મસમોટી ફી વધારો કરવાની ફીરાકમાં હોય તેવું લાગી રહ્યું છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ FRC સમક્ષ નવી પ્રપોઝલ મૂકી છે, જેમાં અમદાવાદીની જાણીતી સ્કૂલોએ ફીમાં 10 થી 54 ટકાનો વધારો કરવાની માંગ કરી છે.
મહામારીમાં ખાનગી સ્કૂલોને લેવી છે મસમોટી ફી
મહત્વનું છે કે ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાથી સરકારે ફી નિયમન કમિટી FRCની રચના કરી છે. ફી રેગ્યુલેટરી કમિટી શાળાઓની ફીને લઈ તેનું નિયમન કરે છે ત્યારે હવે ખાનગી શાળાઓએ FRCને દરખાસ્ત મુકી છે જે પાસ થઈ જશે તો ખાનગી શાળા સંચાલકો મસમોટી ફી વસૂલી કરી શકશે.
જાણીતી સ્કૂલે 10 થી 54 ટકા સુધીનો માંગ્યો વધારો
અમદાવાદમાં સેટેલાઈટમાં આવેલી આનંદનિકેતન સ્કૂલે 20 ટકા ફી વધારો માગ્યો છે. જ્યારે બોપલની સત્યમેવ જયતે સ્કૂલે 51 ટકા ફી વધારો અને બોડકદેવની પ્રકાશ સ્કૂલે 10 ટકા ફી વધારાની માંગ કરી છે. જ્યારે બોપલની DPS સ્કૂલે 54 ટકા જેટલો ફી વધારો માગ્યો છે. આ તરફ શહેરમાં આવેલી ઉદગમ સ્કૂલે 10 ટકા ફી વધારાની માંગ કરી છે
સેટેલાઈટની આનંદનિકેતન સ્કૂલે ફી વધારો માંગ્યો
આ તમામ ખાનગી સ્કૂલોએ આગામી 3 વર્ષ માટે 10થી 54 ટકાનો ફી વધારાનું પ્રપોઝલ મુક્યું છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ખાનગી સ્કૂલ સંચાલકો કેમ સમજતા નથી કે કોરોના મહામારીમાં લોકોના ખિસ્સાઓ પર બોજ પડ્યો છે. જેમી દરેક પરિવાર આર્થિક રીતે તૂટી ગયો છે. છતા પણ ખાનગી શાળાના સંચાલકોએ પોતાની ખિસ્સા ફરવા માટે FRC સમક્ષ ફી વધારો કરવાની માંગ મૂકી છે. શાળા સંચાલકો જણાવી રહ્યા છે કે આ ફી વધારો ત્રણ વર્ષ બાદ પાછો લઈ લેવામાં આવશે પરતું ત્રણ વર્ષ બાદ સંચાલકો ફી વધારો પાછો લેશે કે કેમ તે પણ એક સવાલ છે?
મહામારીમાં કેવી રીતે ફી ચુકવશે વાલીઓ ?
મહત્વનું છે કે શાળા સંચાલકોએ ફી ન મળતા પોતાના શિક્ષકોને પગાર નથી ચુકવ્યો તેથી ફી વધારાની માંગ કરી રહ્યા છે પરતું મહામારીમાં વાલીઓને આટલો ફી વધારો કેવી રીતે પરવડે તે પણ ખાનગી શાળાના સંચાલકોએ વિચારવું પડશે.