શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એક આંતકીઓએ 35 મિનિટ સુધી ગોળીબાર કર્યો. જે હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. જેથી સેના દ્વારા ઘેરાબંધી કરીને આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે.
શ્રીનગરમાં આતંકીઓનો પોલીસ પર હુમલો
આતંકી હુમલામાં એક પોલીસકર્મી શહિદ
આંતકીઓની ગોળીબારીમાં એક પોલીસ કર્મી થયો શહિદ
#WATCH | Jammu and Kashmir: Police, CRPF officers take part in a wreath-laying ceremony in Srinagar to pay tribute to police officer Arshid Ashraf, who was killed during a terrorist attack on a police party at Khanyar in Old Srinagar city earlier today. pic.twitter.com/q4N2kNuHMH
શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એક આંતકવાદી હુમલવો થયો જેમા એક પોલીસ અધિકારી શહિદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીને ગોળી વાગી હતી. જેથી તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
35 મનિટ ગોળીબાર થયો
સમગ્ર મામલે સેના દ્વારા આતંકિઓના વિસ્તારને ઘેરીને ત્યા તેમની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર પોલીસ અધિકારીઓનું કહેવું છે તે અંદાજે 35 મિનિટ સુધી આતંકીઓએ ખાનયાર વિસ્તારમાં પોલીસ નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
આ ઘટનામાં ખાનયાર પોલીસ સ્ટેશનમાં ફકજ બજાવતા અર્શદ અહેમદ ઘાયલ થયા. જેથી તેમને તુરંત HMHS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ હોસ્પિટલ પહોચે તે પહેલાજ તેઓ જિંદગીથી હારી ગયા. હોસ્પિટલના તબીબોએ તેમેને જ્યારે તેમને મૃત જાહેર કર્યા ત્યારે કાશ્મીર પોલીસમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો.
ગ્રેનેડ ફેકીને ગોળીબાર કર્યો
ઉલ્લેખનીય છે કે આતંકીઓ હજુ પણ ફરાર છે. જેને કારણે અધિકારીઓએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધી રહ્યા છે. છેલ્લા અમુક સમયમાં કાશ્મીર ઘાટીમાં સેના સુરક્ષાદળો દ્વારા આંતકીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જેને લઈને આતંકીઓ હવે ગ્રેનેડ ફેકી ગોળીબાર કરીને સ્થળ પરથી ભાગી રહ્યા છે.