જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં ગ્રેનેડની ઘટના સામે આવી, આતંકવાદી ઘટનામાં પૂંછના મેંધરના રહેવાસી એક પોલીસ કર્મચારી ઘાયલ થયા બાદ શહીદ થયા
સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલા જ આતંકવાદીઓનો ગ્રેનેડ એટેક
એક પોલીસ કર્મચારી ઘાયલ ગંભીર રીતે ઘાયલ થયા બાદ શહીદ થયા
સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલા જ શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં ગ્રેનેડ એટેકની ઘટના સામે આવી છે. વિગતો મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં ગ્રેનેડની ઘટના સામે આવી હતી. આ આતંકવાદી ઘટનામાં પૂંછના મેંધરના રહેવાસી એક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. બાદમાં તેમને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પોલીસકર્મીએ દમ તોડી દેતાં તે શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં હવે મોડી રાત્રે આતંકીઓ હુમલા કરી રહ્યા છે. શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. બાદમાં સુરક્ષા દળો પહોંચ્યા ત્યાં સુધીમાં આતંકીઓ ભાગી ગયા હતા, પોલીસનું કહેવું છે કે, આતંકીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે.
J&K | A grenade incident was reported yesterday night in Qaimoh, Kulgam. In this terror incident, one police personnel namely Tahir Khan from Mendhar, Poonch got injured. He was shifted to GMC hospital in Anantnag for treatment where he succumbed: Kashmir Police
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામના કૈમોહમાં શનિવારે રાત્રે ગ્રેનેડની ઘટના સામે આવી હતી. આ આતંકવાદી ઘટનામાં પૂંછના મેંધરના રહેવાસી તાહિર ખાન નામના એક પોલીસ કર્મચારી ઘાયલ થય હતા. તેને સારવાર માટે અનંતનાગની જીએમસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે દમ તોડી દેતાં શહીદ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન ઘાયલ થયો હતો. શ્રીનગર પોલીસે ટ્વિટ કર્યું હતું કે આતંકવાદીઓએ અલી જાન રોડ, ઈદગાહ ખાતે સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક સીઆરપીએફ જવાનને સામાન્ય ઈજા થઈ હતી.