અમરેલી-રાજુલા શહેરમાં ભારે નુકશાન થયું છે. હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપ ધરાશાયી થયા છે. સાથે જ વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. હિંડોરણા રોડ પર આવેલા મારૂતિ શોરૂમના કાચ ફૂટી ગયા છે. સમગ્ર શહેરના પીજીવીસીએલના વિજપોલ ધરાશાયી થયા છે. રાજુલાના ગોકુલનગર વિસ્તારમાં 1 દીવાલ ધરાશાયી થઈ છે.
રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.