સમુદ્ર શાસ્ત્ર અનુસાર મનુષ્યના દરેક અંગ તેના સ્વભાવ વિશે કંઇકને કંઇક હે છે. જો તમે કોઇ મનુષ્યને ખુબ જ ધ્યાનથી ઓબઝર્વ કરો તો તેના વિશે ઘણી બધી બાબતો જાણી શકો છો. માણસના વાળ તેના સ્વભાવ વિશે અને સુખ વિશે ઘણુ બધુ કહે છે.
સમુદ્રશાસ્ત્રના હિસાબથી તમારુ ભવિષ્ય
વાળ કહી દેશે તમારુ ભવિષ્ય
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના માથામાં છીદ્રમાં એક જ વાળ હોય તે શુભ માનવામાં આવે છે. આવા વાળવાળા વ્યક્તિઓ નસીબદાર હોય છે. જો છીદ્રમાં એક કરતા વધારે વાળ ઉગે છે તો તેનું સ્વાસ્થ્ય થોડુ ખરાબ રહે છે. તેમના દરેક નિર્ણયમાં કન્ફ્યુઝન હોય છે.
કાળા વાળ
જે વ્યક્તિના વાળ કાળા હોય છે તે માનસિક રૂપથી સ્વસ્થ હોય છે અને વિશ્વાસ કરવા લાયક હોય છે. જે વ્યક્તિના વાળ નાની ઉંમરમાં સફેદ થઇ જાય છે તેમનુ મન કમજોર હોય છે.
પાતળા વાળ
જે લોકોના વાળ પાતળા હોય છે તેમનો સ્વભાવ ખુબ સારો હોય છે. તે વ્યક્તિ ઉદાર, પ્રેમી, દયાળી અને સંવેદનશીલ હોય છે. તેનાથી વિરુદ્ધ જે લોકોના વાળ જાડા હોય છે તેમની જીવશૈલી ખુબ સરસ હોય છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
સિલ્કી વાળ
જો વાળ ખુબ સિલ્કી હોય અને તે સુંદર રીતે લહેરાતા હોય તો તેવા વ્યક્તિ વિનમ્ર, સભ્ય, કલા પ્રેમી અને સાચો મિત્ર હોય છે.
ડ્રાય વાળ
કાળા, મુલાયમ અને સરળ વાળ સ્ત્રીઓને સૌભાગ્ય, સંપત્તિ અને સારુ સ્વાસ્થ્ય આપે છે. જ્યારે પીળા, લાલ અને કર્કશ તેમજ ડ્રાય વાળ સ્ત્રીઓને દુખી જ કરે છે.
જાડા વાળ
જાડાવાળવાળી વ્યક્તિ વિદ્યાપ્રેમી હોય છે. જે વ્યક્તિના માથા પર વાળ ખૂબ ઓછા હોય છે તે સંપત્તિવાન અથવા તો સાવ ગરીબ હોય છે.