અમદાવાદમાં આસારામ આશ્રમ સાથે સંકળાયેલા રાજૂ ચાંડક પર હુમલો કરનાર શખ્સ 12 વર્ષે ઝડપાયો.અમદાવાદ ક્રાઈમ બ્રાંચ નાસિકથી ઝડપી લાવી
2009 થી ફરાર હતો સંજય
આસારામની પાપલીલા પર પણ 'સંજય દૃષ્ટિ'
ક્રાઈમ બ્રાંચ ઓકાવશે માહિતી
ગુજરાતમાં આસારામના કાળા કરતૂતોનો અંતેવાસી અને અને કથિત રૂપે બગલો અને ઢેલ પ્રકરણમાં સામેલ એવો વોન્ટેડ આરોપી સંજય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે નાસિકથી ઝડપાઈ ગયો છે.જે છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ હતો. સાબરમતીમાં રાજૂ ચાંડક પર ફાયરિંગ
વર્ષ 2008 ના જૂલાઈમાં આસારામ આશ્રમના ગુરુકૂળમાં રહેતા દીપેશ-અભિષેક નામક બે ભાઈ ગૂમ થયાની ઘટનાના 48 કલાક બાદ બંને ભાઈઓની લાશ સાબરમતી નદીના તટ પરથી મળી હતી. 3 થી 5 જૂલાઈ વચ્ચે ગૂમ થયેલા આ બાળકોની સંદિગ્ધ હાલતમાં મળેલી લાશ બાદ,આશ્રમમાં તાંત્રિક વિધિ થાય છે.તે ચર્ચાએ જોર પકડ્યું હતું.અને ગુજરાતમાં પહેલી વખત આસારામ આટલા મોટા વિવાદોમાં આવ્યા હતા. આસારામના તમ્મામ આશ્રમ અને તેના તમામ કરતૂતોનો પડછાયો બનીને ફરતો સંજય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.સંજય પર,આસારામના એક સમયના સમર્થક અને પાછળથી ધૂર્ત વિરોધી બની ગયેલા રાજૂ ચાંડક પર મધરાતે સાબરમતી વિસ્તારમાં ફાયરિંગ કરવાનો આરોપ છે.આ જ કેસ માં છેલ્લા 12 વર્ષથી તે વોન્ટેડ હતો.
ચાંડકે સાથ છોડતા નારાજગી
અમદાવાદમાં દીપેશ- અભિષેકના સંદિગ્ધ મોત બાદ,આવી જ ઘટના આસારામના છિન્દવાડા આશ્રમમાં બની હતી.આ ઉપરા-ઉપર ઘટનાના કારણે આસારામના એક સમયના કટ્ટર સમર્થકો એક પછી એક સામે આવી અને નારાયણ સાઈ અને આસારામના પોતે નજરે જોયેલા કરતૂતોનો રહસ્યસ્ફોટ કરવા લાગ્યા હતા. જેમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા રાજૂ ચાંડક પણ હતા. રાજૂ ચાંડક પર 2009માં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મધરાતે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે,ફાયરીંગ કરી જીવ લેવા પ્રયાસ કરાયો હતો. એવો પણ આરોપ લગાવાયો હતો કે, આસારામના ઇશારે રજૂ ચાંડક પર હૂમલો કરાયો હતો. હવે જયારે સંજયને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ નાસિક થી પકડી લાવી છે ત્યારે, આસારામના કઈ-કેટલાય રાઝ ખૂલવાની શક્યતાઓ જોવાઈ રહી છે
.વિરોધીઓને શાંત કરાવી દેવાતા
અમદાવાદનો રાજૂ ચાંડક આસારામ સાથે 20 વર્ષ કામ કરી ચુક્યો હતો. કેટલાક સાથીઓની જેમ રાજૂ પણ આસારામનો પ્રીતિપાત્ર હતો.આસારામના કેટલાક કરતૂતોથી ખિન્ન થયેલો રાજૂ ચાંડક 2005માં આશ્રમ અને આસારામને છોડી ગયો. 2008માં બે બાળકોની ઘટના સામે આવ્યા બાદ રાજૂએ આસારામનો પર્દાફાશ કર્યો.અને તેનું મોઢું બંધ કરાવી દેવા ફાયરિંગ કરાયું હતું. આવી જ સ્થિતિ વડોદરાના વૈધ અમૃત પ્રજાપતિની થઇ.અમૃત પ્રજાપતિએ એવા કેટલાય રાઝ 2008 ણી ઘટના પછી ખોલ્યા કે ત્યાર બાદ બે થી ત્રણ વખત વૈધ અમૃત પ્રજાપતિ પર જાનલેવા હુમલો થયો . વૈધ કહેતા કે તેમનું ગમે ત્યારે મર્ડર થશે.તો તેના જવાબદાર માત્ર આસારામ હશે.વૈધ અમૃત પ્રજાપતિની ભીતિ સાચી ઠરી અને 23 મે 2016ના રોજ વૈધ અમૃત પ્રજાપતિની રાજકોટમાં ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સંજયની સરભરા કરશે ત્યારે,આસારામ આશ્રમમાં કથિત કહેવાતી કામલીલા,નારાયણ સાઈ અને અન્ય સાધક-સાધીકાથી માંડીને આશ્રમમાં તાંત્રિક વિધિ અંગેના તમામ રાઝ ખુલશે.